વારાણસી-લખનૌ નેશનલ હાઈવે પર બસ ડિવાઇડર સાથે અથડાતાં સર્જાયો ભયંકર અકસ્માત; 5 લોકોના મોત, 15 ઘાયલ

Bus Accident News: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના વડા એન. ચંદ્રબાબુ નાયડુએ 500 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ ઉઠાવી છે. વાયએસઆર (Bus Accident News) કડપા જિલ્લામાં ટીડીપીના મહાનડુ કાર્યક્રમમાં પાર્ટી કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે દેશમાં ભ્રષ્ટાચારને રોકવા અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા લાવવા માટે ડિજિટલ ચલણને પ્રાથમિકતા આપવી જોઈએ.

પ્રધાનમંત્રી મોદીને અપીલ…
પોતાના સંબોધનમાં નાયડુએ કહ્યું કે અગાઉ પણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિજિટલ ચલણ અંગેનો અહેવાલ સુપરત કરતી વખતે, તેમણે સૂચન કર્યું હતું કે મોટી નોટોનું છાપકામ બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, જ્યાં સુધી મોટી નોટો ચલણમાં રહેશે, ત્યાં સુધી રોકડ વ્યવહારોમાં ભ્રષ્ટાચારને અવકાશ રહેશે. ડિજિટલ પેમેન્ટ્સ સાથે, દરેક વ્યવહારને ટ્રેક કરી શકાય છે, જે પારદર્શિતા સુનિશ્ચિત કરશે.

તેમણે એમ પણ કહ્યું કે ડિજિટલ કરન્સીનો ટ્રેન્ડ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે અને ભારતે પણ આ દિશામાં નક્કર પગલાં ભરવા પડશે. ચંદ્રબાબુ નાયડુએ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પાર્ટી ફંડિંગનું ઉદાહરણ આપ્યું, જ્યાં કાર્યકરો હવે QR કોડ દ્વારા દાન જમા કરાવી શકે છે. આનાથી રોકડનો ઉપયોગ કરવાની જરૂરિયાત દૂર થાય છે.

500 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાની જરૂર કેમ પડી?
નાયડુએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે 500 રૂપિયા જેવી મોટી નોટો નાબૂદ કરીએ અને સંપૂર્ણપણે ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધીએ. આનાથી રાજકીય પ્રક્રિયામાં પારદર્શિતા તો આવશે જ, સાથે સાથે દેશની અર્થવ્યવસ્થા પણ સ્વચ્છ અને સુરક્ષિત બનશે. સભાના અંતે, તેમણે હાજર લોકોને આ વિચારને સમર્થન આપવા અપીલ કરી અને મોટી નોટો દૂર કરવાના પક્ષમાં હાથ ઉંચા કરીને તાળીઓ પાડવા કહ્યું.

જ્યારે આ પ્રસ્તાવને ટેકનોલોજી સમર્થકો અને પારદર્શિતાના હિમાયતીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા નિષ્ણાતો ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ સાક્ષરતા અને માળખાગત સુવિધાઓના પડકારો તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે.