જીવન-મરણ વચ્ચે લડી રહેલા યુવકને ગણતરીના કલાકોમાં હસતો-રમતો કર્યો મોગલ માંએ, લખો – ‘જય માં મોગલ’

Published on Trishul News at 12:51 PM, Sun, 17 September 2023

Last modified on September 17th, 2023 at 12:52 PM

Mughal healed the young man: ભક્તો સાદ કરે અને મદદ કરવા દોડી આવે એનું નામ મોગલ માં. તેમના દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે. સાંભળ્યું જ હશે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે. તેથી ભક્તો પણ જયારે પોતાના જીવન માં દુ:ખ આવે ત્યારે માં મોગલ(Mughal healed the young man) ને અચૂક યાદ કરે છે.

માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. ત્યારે હાલ આપણે માં મોગલના એવા જ એક પરચા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ… કહેવાય છે કે માં મોગલનું નામ લેવા માત્રથી ભલા ભલા દુ:ખ દુર થાય છે. ત્યારે માં મોગલનો આવો જ વધુ એક પરચો સામે આવ્યો છે. ત્યારે એવો જ એક પરચો માં મોગલે અમદાવાદના એક ભક્તને બતાવ્યો છે. જેનો એક્સિડન્ટમાં એક દીકરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન જ્યારે દીકરાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટરો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનારા 48 કલાકમાં જ દીકરાનું મૃત્યુ થઈ જશે. જેને પગલે દીકરાની માતાએ તેમનો દીકરો જલ્દી સાજો થઇ જાય તે માટે માં મોગલ ની માનતા માની હતી અને કહ્યું હતું કે મારે એકનો એક દીકરો છે જે સાજો થઈ જશે તો હું માં મોગલના મંદિરે દર્શન કરવા આવીશ ત્યારે માં મોગલે પોતાનો પરચો બતાવ્યો હતો. ત્યારે માં મોગલની કૃપાથી આ દીકરો 48 કલાકમાં હસતો રમતો થઈ ગયો.

આ જોઇને ડોક્ટર પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા કે આ કઈ રીતે થયું. માં મોગલ પર વિશ્વાસ રાખો એટલે માં મોગલ ભક્તોના હર એક દુઃખમાં સાથ આપે છે અને બધીજ સમસ્યા દૂર કરે છે અને અનેકવાર પરચાઓ પણ બતાવ્યા છે. ત્યારે કહી શકાય કે માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી. માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો તે હંમેશા દુઃખ દૂર કરે છે અને તે તો ભાવના ભૂખ્યા છે.

Be the first to comment on "જીવન-મરણ વચ્ચે લડી રહેલા યુવકને ગણતરીના કલાકોમાં હસતો-રમતો કર્યો મોગલ માંએ, લખો – ‘જય માં મોગલ’"

Leave a comment

Your email address will not be published.


*