જાણો એવું તો શું થયું કે, સૂરતમાં સી.આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી પોતાનું પૂરું જોર લગાવી રહી છે. ત્યારે અવાર-નવાર સી.આર. પાટીલના કહેવા પર પોલીસ દ્વારા અટકાયત કરવા આવે છે. જેને લઈને આજે…

ગુજરાત(gujarat): આમ આદમી પાર્ટી પોતાનું પૂરું જોર લગાવી રહી છે. ત્યારે અવાર-નવાર સી.આર. પાટીલના કહેવા પર પોલીસ દ્વારા અટકાયત કરવા આવે છે. જેને લઈને આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી એટલે કે 15 જુનથી ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા શરુ કરવામાં આવેલું ફ્રી વીજળી આંદોલન ઘણું સફળ થઇ રહ્યું છે, તે વાતનો અંદાજો સૌ કોઈ એ વાત પરથી લગાઈ શકે છે કે, ભાજપના પ્રમુખ સી.આર. પાટીલના ઈશારે અમારા કાર્યકર્તા અને નેતાઓની ઠેર-ઠેર અટકાયત કરવામાં આવી રહી છે, અમારા પર કેસ કરવામાં આવી રહ્યા છે, અમારા હોર્ડિંગ્સ અને બેનરો તોડી નાખવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા દિવસો પહેલા સી.આર. એ તમામ હદો વટાવી દીધી. જેને લઈને આજરોજ સૂરતમાં સી.આર. પાટીલ વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સી.આર. પાટીલની ગુંડાગીરીની રાજનીતિથી સમગ્ર ગુજરાત વાકેફ છે, પરંતુ થોડા દિવસો પહેલા સી. આર. પાટીલએ બધી મર્યાદા ઓળંગી દીધી. ‘આપ’ના કાર્યકર્તા પંકજ તાહિરે સમગ્ર લિંબાયતમાં ફ્રી વીજળી આંદોલનના પોસ્ટરો અને બેનરો લગાવ્યા અને વીજળી આંદોલનના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. લિંબાયતમાં ફ્રી વીજળી આંદોલન માટે મળી રહેલું અભૂતપૂર્વ જન સમર્થનથી પરેશાન, સી.આર. પાટીલે પંકજભાઈ તાહિરને ફોન કરીને તેમને ધમકી આપી. સી.આર. પાટીલે કહ્યું, “તમારામાં એટલી હિંમત આવી ગઈ છે કે તમે લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છો. હવે હું જોઉં છું કે તમને કોણ બચાવે છે.”

આજે જનતાની સામે અમે સી.આર. પાટીલની વાસ્તવિકતા ઉજાગર કરવા અમે અહીં આવ્યા છીએ અને અહીંથી અમે લિંબાયત પોલીસ સ્ટેશન જઈને સી.આર. પાટિલ વિરુદ્ધ FIR પણ નોંધવાના છીએ. અને અમે ઇચ્છિએ છીએ કે પોલીસ દ્વારા ગુંડાગીરીની માનસિકતા વાળા સી.આર. પાટીલની ધરપકડ થાય. ચૂંટણીના એફિડેવિટમાં સી.આર. પાટીલે જે નંબર આપ્યો હતો તે જ નંબર પરથી પંકજભાઈ તાહિર ને ફોન આવ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, સી.આર. પાટીલે જ ફોન પર ધમકી આપી હતી.

પંકજભાઈ તાહિર જે પહેલા ભાજપના નેતા હતા. પરંતુ જયારે આમ આદમી પાર્ટી આવી તો તેમને આમ આદમી પાર્ટીનું કામ સારું લાગ્યું એટલે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પણ આ વાત સી.આર. પાટીલ ને જરાય ગમી નથી. વધુમાં પંકજભાઈ મરાઠી સમાજ એટલે કે સી.આર. પાટીલ ના સમાજથી આવે છે અને તે કેવી રીતે પાર્ટી છોડી શકે એ વિચારથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. પણ આજે સી.આર. પાટીલએ જે ગુંડાગીર્દી કરી છે તેની સામે અમે લડવાના છીએ. ન્યાય માટે જે કઈ પગલાં ભરવા પડશે તે આમ આદમી પાર્ટી ભરશે. અમે સી.આર. પાટીલથી જરાય ડરતા નથી અને હવે આમ આદમી પાર્ટી સી.આર. પાટીલની ગુંડાગીર્દી ગુજરાતમાં નહિ ચાલવા દે.

વધુમાં ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું કે, સૂત્રો પાસેથી તેમને જાણવા મળ્યું છે કે જૂની ટીજીબી અને હાલની લા મેરેડિઅન હોટલ માં જે શિવસેનાના ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે તેમને ગઈકાલ રાત્રે કમિશનર ને સીધી સૂચના આપીને સી.આર. પાટીલ દ્વારા આખી રાત ટોર્ચર કરવામાં આવ્યા છે. તેમાંથી બે-ત્રણ શિવસેનાના ધારાસભ્યો એ ભાગવાની કોશિશ કરતા ક્રાઇમ બ્રાન્ચ ની મદદ થી એક-બે ધારાસભ્યોને નવસારી થી પકડી લેવામાં આવ્યા છે, એક-બે ધારાસભ્યો ને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈને બળજબરીથી ઘેન ના ઇન્જેકશનો આપવામાં આવ્યા છે. આમ સી.આર. પાટીલે અને ઇન્ચાર્જ કમિશ્નરે આખી રાત તે ધારાસભ્યોને ખુબ જ ટોર્ચર કરવાનું કામ કર્યું છે. આ ઘટનાના પુરાવા માટે મીડિયા જન ઈચ્છે તો હોટલ અને સિવિલ હોસ્પિટલના CCTV કેમેરા માં ચકાસણી કરી શકે છે. આ પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાની સાથે લિંબાયતના કાર્યકર્તા પંકજભાઈ તાહિર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દ્વારા સી.આર. પાટીલના ફોન કોલ સંબંધિત માહિતી મીડિયા સમક્ષ મૂકવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *