સુરતમાં આપનો નેતા ગરીબોના અનાજનું કૌભાંડ કરતા 40 ગુણ સાથે પકડાયો- મામલો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં

આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં અવારનવાર અનાજ સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે અને ગરીબોના અનાજનો કાળો બજાર કરવામાં આવે છે અને ગરીબ લોકોનું અનાજ અન્ય જગ્યાએ જ સગેવગે કરી દેવામાં આવે છે. કાળાબજારીઓ ગરીબોનું સસ્તું અનાજ બહાર વેચી દે છે.

સુરત શહેરમાં અવારનવાર અનાજના કૌભાંડ સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત અનાજ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતમાં અનાજ સગેવગે કરવાનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત શહેરના કાપોદ્ર વિસ્તારમાંથી ગરીબોનું અનાજ સગેવગે કરનારા કાળાબજારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, સસ્તા અનાજની દુકાનદાર ગરીબોનું અનાજ બહાર જ સગેવગે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના પુના પુરવઠા ઝોનની દુકાન નંબર વી-1ના દુકાનદાર અનાજ બહાર સગેવગે કરતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દરમિયાન હીરાલાલ કાલુરામ શાહ નામના દુકાનદારનો અનાજનો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, આ ઈસમ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ બાબતે ભાજપના કાર્યકરો દાવો કરી રહ્યા છે કે આ ઈસમ આમ આદમી પાર્ટીનો સંગઠન મંત્રી છે. ગરીબોના અનાજનું કોભાંડ કરતા 40 ગુણ અનાજ સાથે પકડી પાડવામાં આવ્યો છે. ગરીબોનું સસ્તું અનાજનો ટેમ્પો ભરી બહાર વહેચે તે પહેલા જ ટેમ્પાને ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અનાજનો ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *