મમ્મી-પપ્પા લગ્નમાં ન લઇ ગયા તો, છઠ્ઠા ધોરણમાં ભણતા બાળકે આપઘાત કરી જીવન ટુંકાવ્યું

આજકાલ અવારનવાર આપઘાત કિસ્સાઓ સામે આવી રહ્યા ત્યારે ફરી એકવાર આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ભોપાલ(Bhopal)નો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, ધોરણ 6ના એક વિદ્યાર્થીએ કથિત રીતે તેના માતા-પિતા તેને લગ્ન(Marriage)માં ન લઈ ગયા હતા. જેના કારણે તેને તેના ઘરમાં જ ફાંસી લગાવીને આપઘાત કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો.

વધુમાં જાણવા મળ્યું છે કે, પોલીસે આ અંગે માહિતી આપી હતી. ગોવિંદપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી અશોક સિંહ પરિહારે જણાવ્યું છે કે, કિશન કરોસિયાના 12 વર્ષના પુત્ર આર્યન કરોસિયાએ શનિવારની રાત્રે પોતાના ઘરમાં સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે શહેરના વિજય માર્કેટ વિસ્તારમાં રહે છે.

જયારે કહેવાય રહ્યું છે કે મૃતક આર્યન કરોસિયા છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છે અને તે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે તે શનિવારની રાત્રે તેના માતા-પિતા સાથે લગ્ન સમારોહમાં જવા માંગતો હતો પરંતુ જ્યારે તેના માતા પિતા તેને સાથે લઈ જવાની ના પાડી તો તેણે રાત્રે ફાંસી લગાવીને આપઘાત કરી લીધી અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જયારે તપાસ દરમિયાન ઘટના સ્થળ પરથી કોઈ પણ સુસાઈડ નોટ મળી આવી નથી. જયારે જાણવા મળ્યું છે કે આ અંગે સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને વિગતવાર તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *