દરિયાકિનારે છોકરા-છોકરી સહીત કોલેજના ચાર વિદ્યાર્થીઓ પડ્યા ન્હાવા, અને પછી…

વલસાડ જિલ્લના મોરા સુરવાડાના દરિયામાં ફરવા ગયેલા ચાર કોલેજિયન છોકરા-છોકરીઓ તણાયા હતાં. જેમાંથી ચારે-ચારના મૃતદેહ મળી આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, છોકરા-છોકરીઓના મોતના પગલે પરિવારજનોએ…

વલસાડ જિલ્લના મોરા સુરવાડાના દરિયામાં ફરવા ગયેલા ચાર કોલેજિયન છોકરા-છોકરીઓ તણાયા હતાં. જેમાંથી ચારે-ચારના મૃતદેહ મળી આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, છોકરા-છોકરીઓના મોતના પગલે પરિવારજનોએ દરિયા કિનારે અને હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યાં હતાં.

વલસાડની એન.એચ.શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ મોટા સુરવાડા ગામના દરિયામાં ફરવા માટે ગયા હતાં. વિદ્યાર્થીઓ જ્યારે દરિયામાં ગયા ત્યારે ઓટ હતી. દરિયામાં ટાપુ જેવા દેખાતા ડુંગર પર તેઓ બેઠા હતાં. ત્યાર બાદ અચાનક ભરતી આવી હતી. જેથી વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળતી વખતે એક વિદ્યાર્થી તણાવા લાગ્યો હતો. જેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ગયા પરંતુ તેઓ પણ તણાઈ ગયાં હતાં.

સ્થાનિકે જણાવ્યું હતું કે, પહેલો વિદ્યાર્થી તણાયો ત્યાં ખાડી અને દરિયાનું પાણી મિક્સ થતાં પ્રવાહ વધારે હતો. જેથી વિદ્યાર્થીઓ આ પાણીના પ્રવાહના સમજી શક્યા ન હોય તે રીતે તણાયા હતાં.

આશાસ્પદ ચાર યુવક-યુવતીઓના મોતના પગલે દરિયા કિનારે અને હોસ્પિટલના પીએમ રૂમની બહાર મૃતકોના પરિવાર જનોએ આક્રંદ કરી મુક્યું હતું. તહેવારોના દિવસોમાં તેમના પર આંચકો આવે તેમ સમાચાર મળ્યાં હોવાનું કહી રૂદન કરતાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *