સુરતના લિંબાયત વિસ્તારમાં નોંધાઈ ત્રિપલ તલાકની ફરિયાદ

મોદી સરકારે ત્રિપલ તલાક ને લઈને નવો કાયદો બહાર પાડ્યો હતો. પહેલા મુસલમાન સમાજમાં જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીને ત્રણ વખત તલાક કહી દે તો તેના છૂટાછેડા થઈ જતા હતા. પરંતુ આને રોકવા માટે મોદી સરકારે ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવી હતી. જેના અંતર્ગત સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવી જ ઘટના બની છે. ફરિયાદીના પતિએ પત્ની સાથે રહેવું નથી એમ કહીને ત્રણ વખત તલાક બોલીને તેને તરછોડી દીધી હતી.

ત્યારબાદ પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે તેના વિરૂદ્ધ કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

લિંબાયત પોલીસ સ્ટેશનમાં A -3606/2020 મુજબ લગ્નના હક્કોના રક્ષણ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. લિંબાયતના 32 વર્ષીય સુલતાન શેખ દ્વારા પોતાની પત્નીને ત્રણ વખત તલાક બોલીને તલાક આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *