ઘરના આંગણામાં રમતા બંને બાળકોની અચાનક ચીસો સંભળાઈ અને થયા બંનેના મોત

બાંદામાં બે સગા ભાઈઓના મોતથી પરિવારમાં હોબાળો મચી ગયો હતો. મૃત્યુનું ઝેરી જંતુના કરડવાથી થયું છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, બાળકો ઘરની બહાર રમી રહ્યા હતા, તેઓએ જંતુના કરડવા વિશે જણાવ્યું હતું. થોડા સમય પછી તેની તબિયત બગડી અને તેનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અટરા પોલીસ સ્ટેશનના શિવલાલના પૂર્વાનો છે. અહીં ઉમાકાંતના બે છોકરા કુલદીપ અને દિલીપ ઘરની બહાર આંગણામાં રમી રહ્યા હતા. તેમની ઉંમર અનુક્રમે 9 અને 6 છે. ત્યારબાદ અચાનક તેની ચીસોનો અવાજ આવ્યો હતો. અવાજ સંભાળતાની સાથે જ પરિવારના સભ્યો ઘરની અંદરથી તેમની પાસે દોડી આવ્યા હતા.

ત્યારબાદ પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કાર્ય હતા. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને બાળકોને જાણે કોઈ ઝેરી જંતુઓ કરડ્યા હોવાથી તેમનું મોત થયા છે. હાલ પોલીસે બંને બાળકોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *