રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું- ‘ પ્રધાનમંત્રીએ જનતાના ખિસ્સામાંથી ખેરવ્યા 23 લાખ કરોડ- ક્યા ગઈ આ રકમ?’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, તેલની વધતી જતી કિંમતોને કારણે સામાન્ય લોકોને સીધી…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, તેલની વધતી જતી કિંમતોને કારણે સામાન્ય લોકોને સીધી અસર થઈ છે. જે જનતાના ખિસ્સાને અસર કરે છે. પરિવહનમાં વધારાની સાથે ફુગાવો વધી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટરમાં કહ્યું કે, આજે હું દેશની જનતા સાથે મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને ગેસ અંગે વાત કરવા માંગુ છું.

ક્યાં ગયા 23 લાખ કરોડ?
કેન્દ્રને સવાલ કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે, NDA સરકારે ગેસ, ડીઝલ અને પેટ્રોલ એટલે કે GDPથી 23 લાખ કરોડ રૂપિયા કમાયા છે. તે પૈસા ક્યાં ગયા? તમારા ખિસ્સામાં પૈસા જતા નથી. તેમણે કહ્યું કે, છેલ્લા 7 વર્ષથી અમે એક નવો આર્થિક દાખલો જોયો છે. ડિમોનેટાઇઝેશન અને મુદ્રીકરણ બંને એક સાથે થઇ રહ્યા છે.

નરેન્દ્ર મોદીના ચાર-પાંચ મિત્રોનું મુદ્રીકરણ કરવામાં આવી રહ્યું છે. મોદીજીએ અગાઉ કહ્યું હતું કે, હું નોટબંધી કરી રહ્યો છું અને નાણામંત્રી કહેતા રહે છે કે, હું મુદ્રીકરણ કરી રહ્યો છું. ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો, પગારદાર વર્ગ, સરકારી કર્મચારીઓ અને પ્રામાણિક ઉદ્યોગપતિઓનું ડિમોનેટાઇઝેશન થઇ રહ્યું છે.

ગેસ સીલીન્ડરમાં થયો 116% નો ધરખમ વધારો:
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કહ્યું કે, વર્ષ 2014 માં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. વર્ષ 2014 માં જ્યારે UPA એ ઓફિસ છોડી ત્યારે સિલિન્ડરની કિંમત 410 રૂપિયા હતી અને આજે સિલિન્ડરની કિંમત 885 રૂપિયા થઈ ગઈ છે.

સિલિન્ડરની કિંમતમાં 116%નો વધારો થયો છે. વર્ષ 2014 થી પેટ્રોલની કિંમતમાં 42% અને ડીઝલની કિંમતમાં 55% નો વધારો થયો છે. પૂર્વ પાર્ટી અધ્યક્ષે કહ્યું કે, વર્ષ 2014 માં પેટ્રોલની કિંમત 71.5 રૂપિયા હતી અને આજે 101 રૂપિયા એટલે કે 42% નો વધારો થયો છે. જ્યારે 2014 માં ડીઝલની કિંમત 57 રૂપિયા હતી, આજે કિંમતોમાં 88 રૂપિયા એટલે કે 55%નો વધારો થયો છે.

BJP એ રાહુલ ગાંધી પર સાંધ્યું નિશાન:
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કોઈ જાણકારી વગર કેટલાક મુદ્દા પર વાત કરી છે. તે ક્યારેય હકીકતોને સમજી શકતો નથી. તેઓ GDPની વાસ્તવિક વ્યાખ્યા સમજી શકતા નથી.

અમે જાણીએ છીએ કે, ઓઇલ બોન્ડ કેવી રીતે ખરીદવામાં આવ્યા હતા, જેની તેલની કિંમતો પર નકારાત્મક અસર પડી હતી. તેમણે કહ્યું કે, GDP ના આંકડા મોદી સરકારના નિર્ણાયક નેતૃત્વને દર્શાવે છે કે, જે દર્શાવે છે કે અર્થવ્યવસ્થા કેવી રીતે સુધરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *