સગા ભાણેજે જ પહેલા નિંદ્રાધીન મામા-મામીનું ગળુ કાપ્યું, બાદમાં તેમના ત્રણેય બાળકોને મોતને ઘટ ઉતારી દીધા

આજકાલ જયારે હત્યાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે એક એવી ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ભાણિયાએ શનિવારે મોડી રાત્રે તેના મામા-મામી અને તેના ત્રણ માસૂમ બાળકોની તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપીને મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા પાછળનું કારણ સંપત્તિ વિવાદને ગણાવવામાં આવી રહ્યું છે. હત્યા કર્યા બાદથી આરોપી હજુ ફરાર છે.

પોલીસની પાંચ ટીમો દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આરોપીના પરિવારજનોની પણ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, અયોધ્યાના નિસારુ ગામમાં રમેશ કુમાર અને તેનો ભાણિયો એક જ મકાનમાં રહેતા હતા. જમીન અંગે મામા-ભાણેજ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. શનિવારે મોડી રાત્રે ભાણેજ દ્વારા તેના મામા રાકેશકુમાર અને મામી જ્યોતિની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ તેમના 4 થી 8 વર્ષના ત્રણ બાળકોનું પણ ગળું તીક્ષ્ણ હથિયાર વડે કાપીને હત્યા કરી નાંખી હતી. આ માહિતી મળ્યાના લગભગ એક કલાક પછી ઇન્ચાર્જ પ્રભારી રાહુલ કુમાર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક શૈલેષ પાંડેએ જણાવ્યું હતું કે, આ ઘટના લગભગ 12:30 વાગ્યાની વચ્ચે બની છે. જિલ્લા અધિકારી અનુજકુમાર ઝાએ જણાવ્યું હતું કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વધુમાં કહ્યું કે, દરેક એંગલથી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં કોઈપણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *