કોરોનાના કેસમાં એક સાથે જંગી ઉછાળો- છેલ્લા 24 કલાકના આંકડા જાણીને હેરાન રહી જશો

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 12,213 નવા કેસ નોંધાયા છે અને 7,624 દર્દીઓ સાજા થયા છે. આ પછી, દેશમાં એક્ટીવ કેસો(Corona active cases)ની સંખ્યા વધીને…

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona)ના 12,213 નવા કેસ નોંધાયા છે અને 7,624 દર્દીઓ સાજા થયા છે. આ પછી, દેશમાં એક્ટીવ કેસો(Corona active cases)ની સંખ્યા વધીને 58,215 થઈ ગઈ છે. જ્યારે સકારાત્મકતા દર 2.35 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 લોકોના મોત થયા છે. આજે નોંધાયેલા કેસો ગઈકાલ કરતાં 38.4 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 15,21,942 લોકોને રસી આપવામાં આવી છે. આ પછી અત્યાર સુધીમાં કુલ 1,95,67,37,014 લોકોને રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ દર્દીઓ:
ટોચના પાંચ રાજ્યો કે જેમાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેમાં 4,024 કેસ સાથે મહારાષ્ટ્ર, 3,488 કેસ સાથે કેરળ, 1,375 કેસ સાથે દિલ્હી, 648 કેસ સાથે કર્ણાટક અને 596 કેસ સાથે હરિયાણા છે. આ પાંચ રાજ્યોમાંથી 82.96 ટકા નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 32.95 ટકા એકલા મહારાષ્ટ્રના છે.

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 5,24,803 થઈ ગઈ છે. રિકવરી રેટ હવે 98.65 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,26,74,712 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5,19,419 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કાલે દેશમાં કોરોનાના 8822 નવા કેસ નોંધાયા છે. આ કેસો મંગળવારે જોવા મળેલા કેસો કરતા 33.8 ટકા વધુ હતા. એક દિવસમાં 15 લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે, છેલ્લા 3 દિવસથી, દરરોજ 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જોકે મંગળવારે નવા સંક્રમિતોની સંખ્યામાં મોટો ઘટાડો થયો હતો અને કુલ 6594 નવા દર્દીઓ નોંધાયા હતા. અગાઉ સોમવારે 8,084 નવા દર્દીઓ મળી આવ્યા હતા. તે પહેલા 10 જૂને 8,328 અને 11 જૂને 8,582 નવા કેસ નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *