કોરોના કોઈ જીવલેણ વાયરસ નથી, દવા બનાવતી કંપનીઓનું પૈસા કમાવાનું ષડયંત્ર છે

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કરોડોના વાયરસની જાગૃતિ માટે પદ્મભૂષણ ડોક્ટર બી એમ હેગડે અને જાણીતા ડોક્ટર વિશ્વરૂપ ચૌધરી સાથે વિડીયો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.…

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કરોડોના વાયરસની જાગૃતિ માટે પદ્મભૂષણ ડોક્ટર બી એમ હેગડે અને જાણીતા ડોક્ટર વિશ્વરૂપ ચૌધરી સાથે વિડીયો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. જેમાં બંને તબીબોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે દવાઓ, રસી સેનેટાઈઝર બનાવતી કંપનીઓએ મિલીભગતથી કોરોના ને મોટું રૂપ આપી દીધું છે. કોરોના થી મૃત્યુ થતા નથી. ભયથી મૃત્યુ થાય છે. આગામી એક મહિનામાં કોરોના નું નામોનિશાન નહીં હોય.

ડોક્ટર બી એમ હેગડે જણાવ્યું હતું કે કોરોના એ માઈલ્ડ વાયરસ છે. એ જાનલેવા નથી. તે હવામાં ફેલાયને ચેપ લગાડતો નથી. સ્પર્શ થી, હાથ મિલાવવાથી, ભેટવાંથી આ વાયરસ લાગુ પડે છે. લોકોએ કોરોના થી ડરવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. ગરમી વધશે તેમ કોરોના માંથી બહુ જલદી મુક્તિ મળી જશે. તાવ-શરદી હોય તો ખૂબ પાણી પીઓ, સાદું ભોજન લો ને આરામ કરો. આજ વાયરસને ડામવાની દવા છે. વાયરસ માટે બજારમાં કોઈ દવા નથી.

ડોક્ટર વિશ્વરૂપ ચૌધરીએ કહ્યું કે, કોરોના એ નવો કે આજકાલ નો વાયરસ નથી. દરેક વ્યક્તિ તાવ, શરદી અને ઉધરસ માંથી પસાર થઇ હશે. બની શકે કે જે તે સમયે તાવ, શરદી એ કોરોના ને કારણે પણ થયા હોય. કોરોના વાયરસની ઓળખ ઊભી કરી, તેને મોટુ રૂપ આપી ભય ફેલાવવામાં આવી રહ્યો છે. આ ડર નો વેપાર છે. ચીન અને ઇટલી માં કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામેલા લોકોને કોઇને કોઇ અન્ય બીમારી હતી તેવા રિપોર્ટ ગયા અઠવાડિયે જાહેર થયા છે. હદય રોગ અને કિડની ફેલ હોય તેવા લોકોને આ વાયરસ જલ્દીથી લાગુ પડે છે. આવી ગંભીર બીમારી હોય તેવા લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેઓ મૃત્યુ પામે છે અને મૃત્યુનો દોષ કોરોના ના ખાતામાં જાય છે.

તાવ આવતો હોય તો તાવને ઉતારવાની દવા લેવી નહીં. કારણ કે ગરમ જગ્યાએ વાયરસ શકતો નથી અને મરી જાય છે. તાવ વખતે આપણું શરીર ગરમ હોય છે અને શરીરમાં વાયરસ પ્રવેશ્યા હોય તો પણ તે ત્રણ દિવસમાં નાશ પામે છે. જો તાવ ઉતારવાની દવા લઈએ તો શરીર ઠંડુ પડે છે અને વાયરસ ની સંખ્યા ઝડપથી વધે છે. તાવ આવ્યો હોય તો રોજ 5 ગ્લાસ નારિયેળ પાણી પીવું અને પાંચ ગ્લાસ ફ્રુટ જ્યુસ પીવો તો તાવ ઊતરી જશે અને વાઈરસ પણ નાશ પામશે. ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝ ના કેટલાક તત્વો ખોટા રસ્તે કમાણી કરવા અમુક સમય વાયરસ નો ભય ફેલાવે છે. ટૂંક સમયમાં કોરોના ની ફિલ્મ ઉતરી જશે અને થોડા સમય પછી નવી ફિલ્મનું પોસ્ટર લગાવ્યા છે. ફેર એટલો છે કે કોરોના એ બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ!

નાગરિક બેંક આયોજિત આ વાર્તાલાપમાં નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયાર, હંસિકા બેન મણિયાર, નિલેશભાઈ શાહ, વલ્લભભાઈ કથીરિયા અને એડવોકેટ સંજય વોરા, ડોક્ટર પ્રશાંત શાહ, ડોક્ટર નીરવ શાહ વગેરે ઉપસ્થિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *