ખાનગી હોસ્પિટલોનું હવે આવી બન્યું, સરકાર લઈ શકે છે આ નિર્ણય

કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે પ્રાઈવેટ હોસ્પિટલમાં તેની તપાસ કરાવવી એક મોટી સમસ્યા લોકો માટે ઊભી થતી હોય છે. હોસ્પિટલો મનફાવે તેમ રૂપિયા વસુલ કરી રહી છે. ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં કોરોનાની તપાસ કરાવવાના ટેસ્ટની ફી એટલી વધારે હોય છે કે અનેકવાર લોકો ટેસ્ટ કરાવતા ખચકાય છે. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવવાનો છે. કેન્દ્ર સરકાર જલદી ખાનગી હોસ્પિટલોમાં કોરોના તપાસના રેટ નક્કી કરી શકે છે.

વીકે પોલ કમિટીએ કરી રેટ ઓછા કરવાની ભલામણ

કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી વી કે પોલ કમિટીએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ભલામણ કરી છે કે ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસ ટેસ્ટના ભાવ ઓછા કરવામાં આવે. ગૃહ મંત્રાલયને સોપેલા પોતાના આ રિપોર્ટમાં કમિટીના સભ્યોએ કહ્યું છે કે હાલની કોરોના તપાસની કિંમત મોટી છે. તેને એક તૃતિયાશ ઓછા કરવા જોઈએ.

આ મામલે જોડાયેલા જાણકારોનું કહેવું છે કે નીતિ આયોગની આ નવી ભલામણો પર ગૃહ મંત્રાલય વિચાર કરી રહ્યું છે. મંત્રાલય જલદી સમગ્ર દેશમાં આફત કાનૂન હેઠળ ખાનગી હોસ્પિટલો માટે એક નિર્ધારિત કિંમતમાં જ કોરોના તપાસ કરાવવાનો આદેશ બહાર પાડી શકે છે.

દિલ્હી અને યુપીમાં કોરોના તપાસના રેટ નક્કી

ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના તપાસના મનફાવે તેવા લેવાતા ભાવ પર લગામ કસવા માટે દિલ્હી અને યુપી સરકારે ભાવ નક્કી કર્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર દિલ્હીમાં તમામ ખાનગી હોસ્પિટલોએ 2400 રૂપિયામાં જ કોરોના ટેસ્ટ કરવો પડશે. એ જ રીતે યુપી સરકારે પણ આદેશ બહાર પાડ્યો છે કે સમગ્ર પ્રદેશમાં ખાનગી હોસ્પિટલ કોરોના તપાસ માટે 2500 રૂપિયાથી વધુ વસૂલી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *