કોરોનાએ ગુજરાતમાં લીધો ચોથો ભોગ, દર્દીને અન્ય રોગ પણ હતા

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19 છે જેમાંથી એક મહિલાનું મોત થયુ છે. અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું…

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 19 છે જેમાંથી એક મહિલાનું મોત થયુ છે. અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે. કોરોનાને કારણે ગુજરાતમાં મોતનો આંકડો ચાર પર પહોચ્યો છે. આ પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ એકનું મોત થયુ હતું.

અમદાવાદમાં આસ્ટોડિયા વિસ્તારની એક મહિલા 26 માર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાનું કોરોના વાયરસને કારણે મોત થયુ છે. આ મહિલાએ કોઇ વિદેશ પ્રવાસ કર્યો નહતો અને તંત્ર અત્યારે તેની હિસ્ટ્રી ચેક કરી રહ્યું છે. આ મહિલાને હાઇપરટેન્શન, ડાયાબિટિસ જેવી બીમારી હતી અને વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાના હુલ 53 કેસ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 18 કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 9 અને સુરતમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે રાજકોટ અને ગાંધીનગરમાં 8-8 પોઝિટિવ કેસ, કચ્છ-ભાવનગર અને મહેસાણામાં 1-1 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે.

https://trishulnews.com/covid-19-corona-virus-updates-in-gujarat/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *