“જો રામ મંદિર બનશે તો કોરોના વાયરસનો ખાત્મો થઇ જશે” જાણો કોણે કહી આ વાત

એનસીપી નેતા શરદ પવારે રામ મંદિર, કોરોના સંક્રમણ અને અર્થવ્યવસ્થાના મુદ્દાઓને લઈને આ જ ઇશારાઓમાં ભાજપ પર નિશાન સાધ્યું છે.

તેમણે રવિવારે સોલાપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “કેટલાક લોકો વિચારે છે કે રામ મંદિર નિર્માણથી કોરોનાનો અંત આવશે. અમારે આપણી અગ્રતા નક્કી કરવી પડશે. તે નક્કી કરવાનું છે કે શું મહત્વનું છે.”

તેમણે કહ્યું કે સરકારે દેશની આર્થિક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આના એક દિવસ પહેલા અયોધ્યામાં મંદિર નિર્માણને ધ્યાનમાં રાખીને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બીજી બેઠક શનિવારે મળી હતી.

બેઠક બાદ ટ્રસ્ટના સભ્ય અને ભાજપના નેતા કમેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે મંદિરનો શિલાન્યાસ કરવા માટે 3 કે 5 ઓગસ્ટની તારીખ સૂચવવામાં આવી છે. ટ્રસ્ટે કહ્યું હતું કે ભૂમિપૂજનની તારીખ વડા પ્રધાન કાર્યાલય દ્વારા નક્કી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે મંદિરના શિલાન્યાસ માટે અયોધ્યા જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *