આ સમયે અને તારીખે દુનિયામાંથી કોરોના થશે દુર- WHO એ કહ્યું કરો આ બે કામ અને મેળવો કોરોનાથી મુક્તિ

કોરોના(Corona) વાયરસના સંક્રમણે વિશ્વભરના લોકોના જીવનને પાટા પરથી ઉતારી દીધું છે. કોરોના વાયરસનો ખતરો હજુ ઓછો નથી થયો પરંતુ સંક્રમણના કેસ પણ ઝડપથી વધી રહ્યા…

કોરોના(Corona) વાયરસના સંક્રમણે વિશ્વભરના લોકોના જીવનને પાટા પરથી ઉતારી દીધું છે. કોરોના વાયરસનો ખતરો હજુ ઓછો નથી થયો પરંતુ સંક્રમણના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)નું આ અંગે કહેવું છે કે આખી દુનિયામાંથી કોરોનાને ખતમ કરી શકાય છે. કોવિડને નાબૂદ કરવા અંગે WHOના વડા ટેડ્રોસ એડનોમે(Tedros Adhanom) કહ્યું છે કે, આ માટે વિશ્વએ કેટલાક કડક પગલાં ભરવા પડશે.

WHOના વડાએ કહ્યું છે કે આ રોગચાળાને ખતમ કરવું શક્ય છે પરંતુ આ માટે કેટલાક કડક પગલાં લેવા પડશે. ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ એડહાનોમે કહ્યું, કોવિડને ચોક્કસપણે હરાવી શકાય છે, પરંતુ વિશ્વભરની તમામ સરકારો અને રસી ઉત્પાદકોએ 2 બાબતો વિશે આશ્વાસન આપવું પડશે.

WHOના ચીફ ટેડ્રોસ એડનોમે કહ્યું કે, સૌથી પહેલા એવા દેશોમાં રસીનો પુરવઠો વધારવો જ્યાં રસી નથી પહોંચી રહી પરંતુ કોરોનાનું જોખમ છે અને બીજું એ કે લોકોને રસી પહોંચાડવા માટે જરૂરી સંસાધનો પૂરતા પ્રમાણમાં પૂરા કરવામાં આવશે. જ્યાં સુધી દરેક સુરક્ષિત નથી ત્યાં સુધી આપણે ક્યાંય સુરક્ષિત નથી.

WHO ના વડાએ 2021 માટેના તેમના અંતિમ સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે “કોઈ પણ દેશ આ મહામારીથી બચ્યો નથી. અમારી પાસે COVID-19 ને રોકવા અને તેની સારવાર માટે ઘણા નવા સાધનો છે. રસીની અસમાનતા વાયરસ થવાનું જોખમ વધારે છે જેને આપણે અટકાવી શકતા નથી. જો આપણે રસીની અસમાનતાને સમાપ્ત કરીશું, તો આપણે મહામારીને પણ સમાપ્ત કરીશું.”

કેટલાક નાના અને ગરીબ દેશોમાં રસીકરણ થતું નથી તેમ સમૃદ્ધ દેશોમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. WHO ચીફે વધુમાં કહ્યું કે “COVID-19 રોગચાળો તેના ત્રીજા વર્ષમાં પ્રવેશી ગયો છે, જો આપણે બધા સાથે મળીને લડીશું, તો મને ખાતરી છે કે આ તે વર્ષ હશે જ્યારે આપણે બધા આ મહામારીનો અંત લાવીશું.” વૈશ્વિક લક્ષ્ય સુધી પહોંચવા માટે તમામ દેશોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.

2022 ના મધ્ય સુધીમાં તમામ દેશોમાં 70% લોકોને રસી આપવામાં આવશે.” ટેડ્રોસ અધાનૉમે કહ્યું કે, વિશ્વનો કોઈ દેશ રોગચાળામાંથી બહાર નથી. એટલે કે, હવે અમારી પાસે કોરોના રોગચાળાને રોકવા અને તેની સારવાર માટે ઘણા નવા સાધનો છે. તેમણે કહ્યું કે વિશ્વના લોકોની પહોંચ કોરોના પર લગામ લગાવી શકે છે.તેમણે કહ્યું કે જેટલી લાંબી અસમાનતા હશે તેટલી જ કોરોના વાયરસનું જોખમ પણ વધુ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *