આ ઉત્તરાયણમાં ક્યાય પણ ઘાયલ પક્ષી દેખાય તો, તરત જ આ નંબર પર કરો કોલ- વાંચો અને શેર કરો!

આગામી સમયમાં ઉત્તરાયણ(Uttarayan)નો પર્વ આવી રહ્યો છે અને આ દરમિયાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ(Bird-animal wounded) ન થાય તેની પૂરતી કાળજી સાથે તારીખ 10મી…

આગામી સમયમાં ઉત્તરાયણ(Uttarayan)નો પર્વ આવી રહ્યો છે અને આ દરમિયાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ(Bird-animal wounded) ન થાય તેની પૂરતી કાળજી સાથે તારીખ 10મી જાન્યુઆરીથી તારીખ 20મી જાન્યુઆરી-2022 દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજવામાં આવશે.

આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર ગુજરાતમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગ દ્વારા આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની તાત્કાલિક સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

તદઉપરાંત, વોટ્સએપ 8320002000 ઉપર ‘Karuna’ મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો તમર જોઈ શકશો. માત્ર એટલું જ નહિ, પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટેની તમામ મદદ લઇ શકાશે.

આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર અર્થે રાજ્યભરમાં આ વર્ષે 700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620થી વધારે ડોકટરો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો આ જીવદયાના કાર્યમાં સેવારત રહેવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *