મહાદેવના મંદિરમાં થઇ રહ્યું છે આ ખાસ વસ્તુનું વિતરણ- જેનાથી કોઈને પણ કોરોના નહિ થાય…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. આવાંમાં હાલ શ્રાવણ મહિનાની પણ સારી એવી શરૂઆત થઈ ચુકી…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. આવાંમાં હાલ શ્રાવણ મહિનાની પણ સારી એવી શરૂઆત થઈ ચુકી છે. લોકો ઈશ્વરની પાસે આ મહામારીનો ઝડપથી જ અંત આવે એવી પણ મંગની કરી રહ્યાં છે. આવાં સમયમાં એક આંખ ઉઘાડી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે.

કોરોના સંકટના લીધે હાલમાં ચાલી રહેલ પવિત્ર શ્રાવણ માસમાં પણ ઘણાં શિવાલયોને બંધ રાખવામાં આવ્યા છે. જેનાંથી લોકોમાં કોરોનાથી થતું સંક્રમણને અટકાવી શકાય. ત્યારે ધર્મ નગરી એવી વારાણસીમાં કોવિડ-19 અંગેની લોકોમાં જાગૃતતા વધે એ માટે શ્રાવણ મહિનામાં એક અલગ જ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જેને લોકોએ પણ ખુબ આવકાર્યો છે. અહીંયા પ્રસાદના રૂપમાં માસ્ક આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ અહીં ભોગના રૂપે ભગવાનને પણ માસ્ક ચઢાવવામાં આવે છે. આની સાથે જ પૂજારી દ્વારા લોકોને માસ્ક પહેરવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે. જે ખરેખરમાં સરાહનીય પગલું છે.

આનાં કારણે જ આ મંદિર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર વારાણસીમાં મિસિરપોખરામાં આવેલ છે. શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં અહીં આ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં પૂજા કરવા આવતા તમામ શિવભક્તોને માસ્કનું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અહીં શિવને પણ માસ્ક જ ચડાવવામાં આવે છે, જેનાંથી જે લોકોની પાસે માસ્ક નથી તેમને આ માસ્ક પ્રસાદ રૂપે પણ આપી શકાય તથા તેમનું પણ કોરોના સંકટ સમયે સંક્રમણથી બચાવ કરી શકાય છે.અહીં ઉલ્લેખનીય છે, કે પવિત્ર શ્રાવણ માસમાં આ જ્યાં એક બાજુ અન્ય કોઇ સામાન્ય દિવસે પણ ભક્તોની મોટી ભીડ ઊમટી હોય છે.

ત્યારે હાલ કોરોના સંકટ તથા સંક્રમણના કારણે ઘણાં જાણીતા શિવાલયો પર પણ તાળા લાગ્યા છે. ભક્તોને પણ તેમના ઘરે જ શિવજીની પૂજા કરવાનું કહેવામાં આવી રહ્યું છે.બનારસમાં પણ કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આ વાયરસની ચેનને તોડવા માટે પ્રશાસન દ્વારા પણ માસ્ક પહેરવાનું જ સૂચન કરવામાં આવ્યું છે.

માસ્ક ન પહેરનાર પર ડંડાત્મક કાર્યવાહી પણ થાય છે. ત્યારે આ મંદિર દ્વારા આ કપરા સમયને આસ્થા સાથે જોડીને લોકોને માસ્ક પહેરવાની તથા કોરોના સામેની આ લડાઇમાં માસ્ક પહેરીને બચવાની સમજણ આપવામાં આવે છે. જે ખરેખરમાં જ એક સારો પ્રયત્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *