સૂર્યકુમાર યાદવ સાથેની સરખામણી પર એબી ડી વિલિયર્સે બે મોઢે વખાણ કરતા જાણો શું કહ્યું?

T20 વર્લ્ડ કપના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક સૂર્યકુમાર યાદવે(Suryakumar Yadav) જ્યારે એબી ડી વિલિયર્સ(ab de villiers) સાથે પોતાની સરખામણી ‘મિસ્ટર 360 ડિગ્રી(Mr. 360 degrees)’ બેટ્સમેન તરીકે…

T20 વર્લ્ડ કપના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક સૂર્યકુમાર યાદવે(Suryakumar Yadav) જ્યારે એબી ડી વિલિયર્સ(ab de villiers) સાથે પોતાની સરખામણી ‘મિસ્ટર 360 ડિગ્રી(Mr. 360 degrees)’ બેટ્સમેન તરીકે કરી ત્યારે તેને અપરિપક્વ ગણાવ્યું, પરંતુ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ તેને યોગ્ય ઠેરવ્યું. ક્રિકેટમાં, ડી વિલિયર્સને મેદાનની ચારે બાજુથી ફટકારવાની ક્ષમતાને કારણે 360 ડિગ્રીના ઉપનામથી ઓળખવામાં આવે છે.

સૂર્યકુમારે વર્તમાન વર્લ્ડ કપની પાંચ મેચમાં 225 રન બનાવ્યા છે, જેમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 75 રનની એવરેજથી રન બનાવ્યા છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 193.97 રહ્યો છે. સૂર્યકુમાર યાદવએ મેદાનના દરેક ખૂણે શોટ મારવાની તેની ક્ષમતાથી ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. 32 વર્ષના આ ખેલાડીએ બેટિંગ માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના મરજી પ્રમાણે રન બનાવ્યા છે.

સૂર્યકુમારે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પર્થમાં આવી જ ઈનિંગ રમી હતી, જ્યારે આફ્રિકન ફાસ્ટ બોલિંગ સામે કોઈ ખેલાડી ટકી શક્યો ન હતો, ત્યારે સૂર્યાએ શાનદાર ઈનિંગ રમીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. પરંતુ એબી ડી વિલિયર્સ સાથેની તેની સરખામણીને ફગાવી દેતાં સૂર્યકુમારે કહ્યું હતું કે, માત્ર એક જ ખેલાડી ‘મિસ્ટર 360 ડિગ્રી’ના ખિતાબને પાત્ર છે, પરંતુ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સ સૂર્યની વાત સાથે સહમત હતા નહી.

સુર્યાનું ઉજ્જવળ ભવિષ્ય છે: એબીડી વિલિયર્સ
એબી ડી વિલિયર્સે કહ્યું, “હું સૂર્યકુમાર માટે ખૂબ જ ખુશ છું. મને લાગે છે કે તે ઘણો લાંબો રસ્તો કાઢ્યો છે. મને તેની પાસેથી આટલું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા નહોતી.” એબી ડી વિલિયર્સે કહ્યું, “શરૂઆતમાં સારું રમ્યા બાદ તે બોલરો પર પ્રભુત્વ ધરાવે છે. તે જોવું રસપ્રદ છે અને તેનું ભવિષ્ય ઉમદા છે.” જ્યારે એબી ડી વિલિયર્સેને પૂછવામાં આવ્યું કે શું સૂર્યકુમાર યાદવની તુલના તેની સાથે કરવામાં આવે તે સમય આવી ગયો છે, તો તેણે કહ્યું, “હા, તે મારી જેમ રમે છે. તેણે માત્ર તેના પ્રદર્શનમાં સાતત્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આગામી 5-10 વર્ષ સુધી આ રીતે રમતા રહો.

સેમીફાઈનલમાં પહોંચવા માટે વધુ મેચ રમવી જોઈતી હતી: એબીડી
38 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીએ કહ્યું કે ચાર સર્વશ્રેષ્ઠ ટીમો T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ છેલ્લા ચારનો નિર્ણય લેવા માટે વધુ મેચ રમવી જોઈતી હતી. ભારત, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. ક્વોલિફાઈંગ સ્ટેજ પછી, 12 ટીમોએ સુપર 12 સ્ટેજની રચના કરી, જેને દરેક છ ટીમોના બે જૂથોમાં વહેંચવામાં આવી હતી. ટીમોએ લીગ તબક્કામાં પાંચ મેચ રમી હતી અને ડી વિલિયર્સ માટે આ સંખ્યા પૂરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *