દાહોદ રેલ્વેમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાત કરીને ટૂંકાવી લીધું જીવન

ગુજરાત: દાહોદ (Dahod) માં આવેલ છાપરી વિસ્તાર (Roof area) માં રહેતા રેલ્વે કર્મચારી (Railway Employee)એ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત (Suicide) કરતાં ચકચાર મચી જવા પામી હતી. મૃતકની માતાએ મૃતકની પત્ની પર આક્ષેપ મૂકયો હતો કે, તેના ત્રાસથી જ તેમના દીકરાએ આપઘાત કરી લીધો છે.

દાહોદમાં આવેલ છાપરી વિસ્તારમાં રહેતા તેમજ દાહોદના રેલ્વે કારખાનામાં ફરજ બજાવી રહેલ 35 વર્ષનાં દિપક ખાસાએ અંદાજે 3 વર્ષ અગાઉ વૈશાલી પંચાલની સાથે લવ મેરેજ કરી લગ્ન પછી દિપક પત્ની વૈશાલીની સાથે અલગ રહેવા જતો રહ્યો હતો તેમજ એક વર્ષ અગાઉ તેમના ઘરે દીકરાનો જન્મ થયો પણ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં પત્ની છેલ્લા 3-4 માસથી દીકરાને લઈ પિતાના ઘરે રહેવા જતી રહી હતી.

આ દરમિયાન ગત મોડી રાત્રે દિપકના ફોન પર પરિવારજનોએ ફોન કરતાં ફોન રિસીવ કર્યો ન હતો. જ્યારે સવારમાં પણ ફોન રિસીવ ન કરતાં દિપકના માતા તથા ભાઈએ ઘરે જઈને જોતાં દીપકે ઘરમાં જ દોરી વડે ગળે ફાંસો ખાઈને લટકેલી હાલતમાં જોતાં સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા તેમજ માતાએ રોકકળ કરી મૂકી હતી.

આ મામલે દિપકની માતાએ તેની પત્ની વૈશાલી પર આક્ષેપ મુક્યા હતા કે, તે દિપકને ઘણીવાર ધમકી આપતી હતી. પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી તેમજ ઘણીવાર થતાં ઝગડાના ત્રાસથી જ દીપકે આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઘટનાની જાણ પત્ની વૈશાલીને થતાં તેના પિતાની સાથે ઘરે આવતા જ માહોલ ગરમાયો હતો તેમજ મૃતકની માતાએ તેને ઘરમાં પ્રવેશવા દીધી નહોતી. આ તબક્કે બંનેની વચ્ચે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાની જાણ દાહોદ રૂરલ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોચીને પંચનામું કરી મૃતદેહને પોર્સ્ટમોર્ટ્મ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *