લંપટ સસરો: સંતાન ન થતું હોવાથી સસરો વિધિના બહાને પુત્રવધુને લઈ જતો એકાંતમાં ને પછી…

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને સંતાન ન હોવાથી વિધીને બહાને તેની માલિશ કરીછેડતી કરનારા સસરા તથા સાસરીયાઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગતો…

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને સંતાન ન હોવાથી વિધીને બહાને તેની માલિશ કરીછેડતી કરનારા સસરા તથા સાસરીયાઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગતો મુજબ 28 વર્ષની મહિલાના લગ્ન નિકોલ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. તેના પરિવારમાં સાસુ,સસરા,નણંદ અને દિયરનો સમાવેશ થતો હતો.

તસ્વીરો સાંકેતિક છે.

પરિણીતાને સંતાન ન હોવાથી તારે મારા માબાપ કહે તેમ કરવાનું છે અને વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની છે, એમ કહીને પતિ મારઝુડ કરતો હતો. બીજીતરફ પરિણીતાને તેના સસરા તારી ઉપર કોઈએ કંઈ કરેલ છે જેથી તારી પર વિધી કરવી પડશે ,તો જ તારે છોકરા થશે, કહીને ઘરના સભ્યો વિધી કરતા હતા.

દરમિયાન પરિણીતાના સસરા રૂમનો દરવાજો બંધ કરીને એકાંતમાં વિધી કરવાને બહાને ચંદન, ઘી, કાળા તલથી માલીશ કરીને છેડતી કરતા હતા. છોકરા ન હોવાથી સાસરીયાઓ પરિણીતાને પિયરમાં મોકલી દેવાની પણ ધમકી આપતા હતા. જેને પગલે કંટાળેલી પરિણીતાએ સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *