આવો ક્રૂર દીકરો ભગવાન કોઈને ન આપે! જન્મ આપનારા માતા-પિતા સહીત માસુમ ભત્રીજીને આપ્યું દર્દનાક મોત

અલીગઢ(Aligarh) મહાનગરના ગાંધી પાર્ક વિસ્તાર (Gandhi Park area)ની વિકાસ નગર કોલોનીમાં સોમવારે સાંજે પુત્રએ નિર્દયતાથી ટ્રિપલ મર્ડર (Triple Murder)ને અંજામ આપ્યો છે. મિલકત અને પૈસાની…

અલીગઢ(Aligarh) મહાનગરના ગાંધી પાર્ક વિસ્તાર (Gandhi Park area)ની વિકાસ નગર કોલોનીમાં સોમવારે સાંજે પુત્રએ નિર્દયતાથી ટ્રિપલ મર્ડર (Triple Murder)ને અંજામ આપ્યો છે. મિલકત અને પૈસાની લાલચમાં તેણે ઘરના વૃદ્ધ માતા-પિતા અને માસૂમ ભત્રીજીની હથોડી અને પથ્થરો મારી હત્યા કરી હતી. જે બાદ આરોપી પગપાળા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ટ્રિપલ મર્ડરની જાણ થતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર, નિવૃત્ત ADO પંચાયત ઓમપ્રકાશ (62) તેમની પત્ની સોમવતી (57) સાથે વિકાસ નગર શેરીમાં તેમના બે પુત્રો સૌરભ અને રામેશ્વર સાથે રહે છે. નાના પુત્ર સૌરભના પિતા અને મોટા ભાઈ સાથે મિલકતની વહેંચણી અને પૈસા બાબતે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન સોમવારે સાંજે સૌરભે પ્રથમ માતા-પિતાને એકાંતમાં માર માર્યો હતો. આ દરમિયાન દાદા-દાદી પાસે રમી રહેલી રામેશ્વરની નાની પુત્રી ફાલ્ગુની ઉર્ફે શિવા (3)ને ઈજા થઈ હતી. પિતા રામેશ્વર ઈજાગ્રસ્ત પુત્રી ફાગુનીને લઈને જેએન મેડિકલ કોલેજ પહોંચ્યા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

અલીગઢના વિકાસ નગરમાં સોમવારે સાંજે ટ્રિપલ મર્ડરની જાણ થતા ચકચાર મચી જવા પામી હતી. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરનાર હત્યારા સૌરભે તેના માતા-પિતાની હત્યા કર્યા બાદ તેનો ભાઈ અને ભાભી પણ તેના નિશાના પર હતા. આ દરમિયાન તેણે દાદા-દાદી પાસે રમતી છોકરીની હત્યા માત્ર એટલા માટે કરી કે તે કોઈને ઘટનાની જાણ ન કરે. આ પછી જયારે ભાભીએ તેની પુત્રીને લોહીથી લથપથ જોતા ભાભીની હાલત કફોડી બની હતી. સૌરભે પોલીસ સ્ટેશનમાં ધરપકડ કર્યા બાદ આ બાબતોને સાયકો કિલર તરીકે સ્વીકારી છે.

હત્યારા સૌરભે આ વીડિયો રેકોર્ડ નિવેદન આપ્યું હતું:
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સૌરભે કબૂલ્યું છે કે તેણે બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ITIમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. પિતા વર્ષ 2019માં નિવૃત્ત થયા અને ત્યાર બાદ તેમણે દેવું કરીને ફંડમાં ઘણા પૈસા આપ્યા. બાકીની રકમથી મોટા ભાઈ રામેશ્વરને આપી જીમ ખોલાવ્યું, જેના કારણે પરિવારમાં સમસ્યા સર્જાઈ.

સૌરભે તેના પિતાને વારંવાર સમજાવ્યું કે, તમે મારા વિશે પણ વિચાર કરો. પરંતુ માતા-પિતા ભાઈ અને ભાભીની સૂચનાનું પાલન કરતા હતા. ખૂબ સમજાવવા છતાં તેઓ રાજી ન થયા અને તેમને હેરાન કરતા હતા. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. સોમવારે સાંજે લગભગ 5.15 વાગ્યાના અરસામાં તેણે પહેલા ઘરમાં માતા-પિતાનું હથોડી અને પથ્થર વડે માથું ફાડી નાખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *