કરુણ ઘટના: છત પરથી મળી આવ્યો 10 વર્ષના બાળકનો મૃતદેહ -ઘટના જાણીને આંસુ નહીં રોકી શકો…

દિલ્હીની એક મસ્જિદની છત પરથી દસ વર્ષિય માસૂમની લાશ મળતા હોબાળો મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બાળક મસ્જિદ ગયો હતો પરંતુ પછી તે ગુમ થયો હતો. નિર્દોષની હત્યાના મામલે દિલ્હી પોલીસે બે સગીરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બાળકનું અપહરણ કરે છે અને તેના માતાપિતા પાસેથી ખંડણી માંગે છે.

નોંધપાત્ર વાત એ છે કે, ગુરુવારે સાંજે બાળક લાંબા સમય બાદ પણ ઘરે પાછો ન આવ્યો ત્યારે તેના પરિવારે બાળકની શોધ શરૂ કરી હતી. ત્યારબાદ બાળક ગુમ થવા અંગે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન શુક્રવારે મોડી રાત્રે મસ્જિદના બીજા માળે બાંધકામ સામગ્રી નીચે બાળકની લાશ મળી હતી.

બાળક ગુરુવારે સાંજે મસ્જિદમાં ગયો હતો. પરંતુ તે લાંબા સમય સુધી ઘરે પાછો ન આવ્યો ત્યારે બાળકના પિતાએ મસ્જિદના મૌલવીને ફોન કર્યો. પરંતુ તેમણે આ વિશે કોઈ માહિતી હોવાનો ઇનકાર પણ કર્યો હતો. જોકે, પાછળથી જાણવા મળ્યું હતું કે, મૃતક બાળક છેલ્લે બંને સગીર આરોપીઓ સાથે જોવા મળ્યો હતો.

દિલ્હીના ડીસીપી વેદપ્રકાશ સૂર્યાએ જણાવ્યું હતું કે, પૂછપરછમાં બંને સગીર લોકોએ પોતાનો ગુનો કબૂલ્યો છે. તેણે કહ્યું કે, તે બાળકના પિતા પાસેથી પૈસા કઢાવવા માંગતો હતો. તેણે 10 દિવસ અગાઉ જ તેની યોજના બનાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પહેલા બાળકને સૂવાની ગોળીઓ ખવડાવી હતી પરંતુ બાળકને કંઇ થયું નથી. ત્યારબાદ, અપહરણની યોજના નિષ્ફળ થતા તે બાળકને મસ્જિદની છત પર લઈ ગયો, જ્યાં તેણે નિર્દોષનું ગળું દબાવી હત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *