વૈષ્ણો દેવી જઈ રહેલા ભક્તોને નડ્યો દર્દનાક અકસ્માત; 6 શ્રદ્ધાળુઓના મોત અને 15 ઘાયલ

Accident News in Haryana: હરિયાણાના અંબાલાથી આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. આજે એટલે કે શુક્રવાર વહેલી સવારે અંબાલામાં (Accident News in Haryana) ભક્તોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અકસ્માતનો ભોગ બન્યું છે.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. આ સાથે લગભગ 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યો છે. ઘટનાને લઈ હાલ અંબાલા પોલીસ અકસ્માતની તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના શ્રદ્ધાળુઓથી ભરેલી આ યાત્રી પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.

આ ઘટના અંબાલાના એનડીઆઈ પ્લાઝા મોહરા પાસે જીટી રોડ પર બની હતી. મળતી માહિતી અનુસાર, યુપીના બુલંદશહરના ભક્તો માતા વૈષ્ણો દેવી મંદિર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની ટ્રાવેલર કાર ઉભી રહેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકો મોતને ભેટ્યા છે.

જેમાં કેટલાક બાળકો પણ સામેલ હોય તેવું જાણવામાં આવી રહ્યું છે. વિગતો અનુસાર આજે વહેલી સવારે સર્જાયેલ આ દર્દનાક અકસ્માતમાં લગભગ 15 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. આ તરફ સ્થાનિકો દ્વારા ઘાયલ મુસાફરોને નજીકની આદેશ હોસ્પિટલમાં અને અન્ય લોકોને અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંબાલા પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.