ડાયમંડ વર્કર યુનિયને CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર: રત્ન કલાકારો માટે શિક્ષણ સહાયમાં સુધારાની કરી માંગ

Surat Diamond Workers News: જય ભારત સાથે જણાવવાનુ કે હીરાઉદ્યોગમાં ભારે મંદીના કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને પગાર (Surat Diamond Workers News) પણ ઘટીને અડધા થઈ ગયા છે જેના કારણે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરકારે બેરોજગાર રત્નકલાકારોના બાળકોની 13,500/- રૂપિયા શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે એ આવકાર્ય છે.

હીરાઉધોગની મંદીની અસરથી કોઈ રત્નકલાકાર બાકી નથી ત્યારે સંપૂર્ણ બેરોજગાર રત્નકલાકારની સાથે જે અર્ધબેરોજગાર રત્નકલાકારો કે જેના પગાર ઘટીને અડધા થઈ ગયા છે તેમના બાળકોની શિક્ષણ ફી ભરવામાં સરકાર મદદ કરે તથા 13,500/- ની ફી મર્યાદા નક્કી કરવા મા આવી તેને બદલે સંપૂર્ણ ફી ભરવા માં આવે એવી અમારી માંગણી છે.

હીરાઉધોગ ના કારખાનાં કાયદેસર રીતે ફેક્ટરી એક્ટ: 1948 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ પરંતુ હીરાઉધોગ મા મજુર કાયદાનુ સરેઆમ ઉલ્લંઘન કરવા મા આવે છે જેથી મોટાભાગ ના રત્નકલાકારો પાસે કંપની નુ આઈ.કાર્ડ તથા પગાર સ્લીપ, ઈ એસ આઈ સી, પ્રોવિડન્ટ ફંડ જેવા મહત્વના પુરાવા હોતા નથી બીજી તરફ સરકારશ્રી દ્વારા પણ રત્નકલાકારો ની કોઈ નોંધણી કરવા મા આવતી નથી.

જેના કારણે હીરાઉધોગ ના રત્નકલાકારો ને રત્નકલાકાર સાબિત કરવો ખૂબ અઘરું કાર્ય બની જાય છે ત્યારે ઉપરોક્ત યોજના મા રત્નકલાકાર તથા બેરોજગાર રત્નકલાકારની વ્યાખ્યા અને નિયમો માં સુધારો કરવા મા આવે તો જ યોજના નો લાભ રત્નકલાકારો સુધી પહોંચી શકે તેમ છે સાથે જિલ્લા સ્તરે કલેક્ટરશ્રી અધ્યક્ષતામા જે કમિટી બને તેમાં ઔધોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ના સયુંકત નિયામકશ્રીને પણ સામેલ કરો ઉપરોક્ત યોજનાની અમલવારી માટે રાજય સ્તરે તથા જિલ્લા અને તાલુકા સ્તર ની કમિટી માં રત્નકલાકારોના પ્રતિનિધિને સામેલ કરો

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ હીરાઉધોગ ના રત્નકલાકારોનુ સરકાર માન્ય લેબર એક્ટ મુજબ નોંધાયેલું સૌથી મોટુ, બિન રાજકીય અને સક્રિય સંગઠન છે સરકારશ્રીને જયાં મદદ ની જરૂર પડે ત્યાં રત્નકલાકારો ના હિત માં અમે મદદ કરવા તૈયાર છીએ.