મકાનની દીવાલ ધરાશાયી થતા બે બાળકો સહિત ત્રણ લોકોના મોત- જાણો કયાની છે આ ઘટના

અતિભારે વરસાદને કારણે ઘણીવાર હોનારતની ઘટનાઓ સામે આવતી હોય છે. સમગ્ર રાજ્યમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે…

અતિભારે વરસાદને કારણે ઘણીવાર હોનારતની ઘટનાઓ સામે આવતી હોય છે. સમગ્ર રાજ્યમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે.પાલનપુર તાલુકામાં આવેલ સેજલપુરા ગામમાં આજે સવારમાં એક જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી.

દુર્ઘટનામાં કુલ 11 લોકો મકાનનાં કાટમાળમાં દટાઈ ગયાં હતા. જેમાંથી કુલ 3 લોકોના મોત નીપજયા છે. મૃતકમાં કુલ 2 બાળકો તેમજ 1 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે કુલ 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા લઈ જવામાં આવ્યા હતા.

દુર્ઘટનાને કારણે પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ તથા મામલતદાર ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં.સેજલપુરા ગામમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં એમાં રહેલ મજૂરો તેમજ બાળકો દટાઈ ગયા હતા. ત્યાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. કુલ 11 પૈકી ઘણાં દટાયેલને કાટમાળમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોતનો આંકડો વધવાની શકયતા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *