તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાભાભીની ફરી થશે વાપસી? – સૌથી મોટા સમાચાર આવ્યા સામે

દિશા વાકાણી(Disha Vakani) એ લોકપ્રિય ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(Taarak Mehta Ka Ooltah Chashmah)’માં તેના પાત્ર દયાભાભી સાથે નાના પડદાના ચાહકોનું મનોરંજન કર્યું. આ શો પ્રથમવાર 2008માં પ્રસારિત થયો હતો. આ શોએ અત્યાર સુધીમાં 3300 થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. ઘણા સમયથી લોકો આ શોમાં દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તાજેતરમાં તેના વિશે એક સમાચાર સામે આવ્યા હતા કે તે કેટલીક શરતો સાથે કમબેક કરી રહી છે. આવો તમને જણાવીએ આ સમાચારનું સત્ય શું છે.

ફરીથી શોમાં જોવા મળશે દયાભાભી:
દયાભાભી શોમાં પાછા ફરે તે અંગેની ચાહકો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જો કે, તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રીએ હવે વાપસી કરવાનો નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે. એક ન્યુઝ રિપોર્ટ અનુસાર તેણે તગડી ફીની માંગણી કરી છે.

રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એપિસોડ દીઠ 1.5 લાખ રૂપિયાની માંગણી કરી છે. આ સિવાય તે દિવસમાં માત્ર 3 કલાક જ શૂટિંગ કરશે. આ સમાચારમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો હતો કે શોના નિર્માતા દિશાની વાપસી માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી:
જો કે, જો તમે પણ આ સમાચાર સાંભળ્યા પછી શોમાં દયાબેનને જોવાની રાહ જોઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે હજુ સુધી દિશા વાકાણી અથવા કોઈ નિર્માતા દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ શોથી કરિયરની શરૂઆત થઈ હતી:
દિશા વાકાણીએ વર્ષ 2004માં પોપ્યુલર ટીવી શો ‘ખિચડી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તે ગુજરાતી શોમાં જોવા મળી હતી. પરંતુ તેમને લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી હતી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની પત્ની અને ટપ્પુની માતાની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીએ 2017માં શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. જોકે, આગામી દિવસોમાં એવી ચર્ચા છે કે દિશા ટૂંક સમયમાં શોમાં પરત ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *