ભગવાન કાળભૈરવને પ્રસન્ન કરવા માટે કરો આ કાર્ય, દરેક મુશ્કેલીઓ થશે દૂર

હિંદુ ધર્મ માં કાલાષ્ટમીના વ્રતનું ખુબ જ મહત્વ ગણવામાં આવે છે. આ દિવસને કાળ ભૈરવાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના અંશ કાળભૈરવની…

હિંદુ ધર્મ માં કાલાષ્ટમીના વ્રતનું ખુબ જ મહત્વ ગણવામાં આવે છે. આ દિવસને કાળ ભૈરવાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના અંશ કાળભૈરવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હિંદુ પંચાંગ મુજબ, કૃષ્ણ પક્ષની અષ્ઠમી તિથિ પર દર મહિને કાલાષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.

કાળભૈરવની કરો પૂજા
કાલાષ્ટમી ના દિવસે ભગવાન ભૈરવની સામે સરસોના તેલ માં દિપક પ્રગટાવી અને શ્રી કાલભૈરવાષ્ટકમના પાઠ કરો અને આ પાઠ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે.

બીલીપત્ર મંત્ર ઓમ નમઃ શિવાય લખો
કાલાષ્ટમી ના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ખાસ દિવસે ભગવાન શિવ પર 21 બીલીપત્ર ચડાવો. આ તમામ બીલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખો.આમ કરવાથી પણ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે.

ઘરમાં અગરબત્તી કરો
જો ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તો કાળ ભૈરવ ની આગળ સુગંધીત 33 અગરબત્તીઓ સળગાવો અને આમ કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

કાળભૈરવ ના દર્શન કરો
કાલાષ્ટમી ના દિવસથી આવતા દિવસ સુધી કાળભૈરવ ભગવાનના મંદિરમાં જાઓ અને તેમના દર્શન કરો. આમ કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *