બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે વધુ એક પડકાર- ચેલેન્જ ફેંકતા ડૉક્ટર વસંત પટેલે જાણો શું કહ્યું

Challenge against Dhirendra Shastri in Gujarat: ગુજરાતમાં બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)ના દિવ્ય લોક દરબાર યોજવા જઈ રહ્યા છે તે પહેલા જ…

Challenge against Dhirendra Shastri in Gujarat: ગુજરાતમાં બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)ના દિવ્ય લોક દરબાર યોજવા જઈ રહ્યા છે તે પહેલા જ વિરોધના સૂર ઊઠ્યા છે. જો વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot) બાદ અમદાવાદ (Ahmedabad)માંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને હવે પડકાર મળ્યો છે. અમદાવાદમાં ડોક્ટર વસંત પટેલ (Dr. Vasant Patel) દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુક્ત કહ્યુ છે કે, ‘જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પાસે કોઈ શક્તિ હોય તો તેઓ હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના દર્દીઓના દુ:ખ કરીને બતાવે.’ મહત્વનું છે કે ગઇકાલે રાજકોટના સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયા (Purushottam Pipaliya) દ્વારા ડ્રગ્સ મુદ્દે બાબા બાગેશ્વરને પડકાર ફેંકવામાં આવ્યો હતો અને રૂપિયા 5 લાખના ઈનામની જાહેરાત પણ તેના દ્વારા કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. અમદાવાદના ડૉક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ડૉ.વસંત પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે. ડૉ.વસંત પટેલે જણાવતા કહ્યું છે કે, તેમનામાં કોઈ શક્તિ કામ કરતી હોય તો હોસ્પિટલમાં રહેલા કેન્સર અને કિડની દર્દીઓના દુઃખ દૂર કરે.

વાત કરવામાં આવે તો હજુ ગઈકાલે જ રાજકોટના સહકારી અગ્રણીએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી હતી. ફેસબુક પર પોસ્ટ મૂકીને પુરુષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી હતી. પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે, જો તેઓ જણાવશે તો હું 5 લાખનું ઈનામ આપીશ’ સહકારી અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની ફેસબુક પોસ્ટ રાજકોટમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર લાગવા જઈ રહ્યો છે અને જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. આગામી 1લી અને 2જી જૂને શહેરના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *