ચોરોએ ભગવાનના ઘરને પણ ન છોડ્યું- શિવ મંદિરમાંથી દાનપેટી ચોરી ફરાર થયા બદમાશો

ખાંડવા: હાલમાં જ જાણવા મળ્યું છે કે, ખંડવા (Khandwa) રૂસ્તમપુર (Rustampur) ગામમાં આવેલા શિવ મંદિરમાં(Shiva temple) ચોરીની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બદમાશ દાનપેટીની ચોરી કરીને લઈ જતો જોવા મળ્યો હતો. પોલીસ હવે કેમેરાના ફૂટેજના આધારે બદમાશને શોધી રહી છે. ગુરુવારે સવારે જ્યારે પૂજારી અને ભક્તો ઈન્દોર-ઈચ્છપુર હાઈવે (Indore-Ichchhpur Highway) પર આવેલા શિવ મંદિર પહોંચ્યા ત્યારે અહીં રાખવામાં આવેલી દાનપેટી ગાયબ હતી.

દાનપેટી ઉપાડીને બદમાશ ભાગી ગયો:
મંદિરમાં ચોરીની ઘટનાની જાણ થતા ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. માહિતી મળતાં, પંઢાણા પોલીસ સ્ટેશન અને બોરગાંવ ચોકીના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ઘટનાની તપાસ માટે મંદિરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા હતા. ફૂટેજમાં બપોરના 3 વાગ્યે એક બદમાશ મંદિરની અંદર ચોરી કરતો જોવા મળી રહ્યો છે. દાનપેટી ઉપાડીને બદમાશ ભાગી ગયો હતો.

પંઢાણા પોલીસ સ્ટેશનના પ્રભારી એચએસ રાવતે જણાવ્યું કે મહાશિવરાત્રીના થોડા દિવસો બાદ જ દાન પેટી ખોલવામાં આવી હતી. મેં તેને ખોલ્યાને લગભગ એક અઠવાડિયું થઈ ગયું છે. દાનપેટીમાં ચારથી પાંચ હજાર રૂપિયા ચોર ચોરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. કેમેરાના ફૂટેજના આધારે ચોરની શોધખોળ ચાલુ છે. ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *