ભૂલથી પણ કરવા ચોથના વ્રત દરમિયાન ન કરતાં આ ભૂલો, જાણો ચંદ્રોદયનો સમય અને શુભ મુહૂર્ત

Karwa Chauth 2024: દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનું વ્રત આવે છે. આ વર્ષે આ વ્રત 20 ઓક્ટોબર, રવિવારના રોજ મનાવવામાં આવી રહ્યું છે. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત (Karwa Chauth 2024) રાખે છે. આ વ્રત બહુ મુશ્કેલ હોય છે કારણ કે આ દિવસે આખો દિવસ પાણી વગર ઉપવાસ કરવાનો હોય છે. વ્રત શરૂ થયા પછી આખો દિવસ ખાધા-પીધા વગર રહેવું પડે છે અને સાંજે ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા પછી જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે.

પરંતુ, જો તમે કરવા ચોથનો ઉપવાસ કરી રહ્યા હોવ અને ભૂલથી પૂજા પહેલા જ તમારો ઉપવાસ તૂટી જાય તો શું? આવી સ્થિતિમાં, તમેને દોષ લાગી શકે છે અને તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. પરંતુ આનો ઉપાય પણ કેટલાક ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યો છે, જેના દ્વારા તમે આ દોષથી બચી શકો છો.

ખાસ આ ધ્યાન રાખો
કરવા ચોથનું વ્રત અખંડ સૌભાગ્ય અને સુખી વૈવાહિક જીવન માટે રાખવામાં આવે છે, તેથી તે દિવસે વપરાયેલી સુહાગ સંબંધી સામગ્રી જેવી કે સિંદૂર, ચાંદલા, બંગડીઓ, મહાવર, મેંહદી વગેરે કોઈને દાનમાં ન આપવી જોઈએ.

કરવા ચોથ ઉત્તમ દાંપત્ય અને સુખી દાંપત્યનું પ્રતીક છે. આ દિવસે કાળા કપડાં ન પહેરો. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તે દિવસે લાલ, ગુલાબી, પીળા, લીલા રંગના કપડાં પહેરી શકો છો. લાલ અને ગુલાબી રંગ વધુ શુભ માનવામાં આવે છે.

કરવા ચોથ ઉત્તમ દાંપત્ય અને સુખી દાંપત્યનું પ્રતીક છે. આ દિવસે કાળા કપડાં ન પહેરો. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. તે દિવસે લાલ, ગુલાબી, પીળા, લીલા રંગના કપડાં પહેરી શકો છો. લાલ અને ગુલાબી રંગ વધુ શુભ માનવામાં આવે છે.

જો તમારું વ્રત તૂટી જાય તો શું કરવું?
જો તમે કરવા ચોથનું વ્રત રાખો છો અને કોઈ ભૂલથી વ્રત અધવચ્ચે જ તૂટી જાય છે, તો ગભરાશો નહીં, મનમાં કોઈ ખોટા વિચારો ન લાવો કે ઉપવાસને સમાપ્ત કરશો નહીં કે છોડશો નહીં. આ સામાન્ય છે અને કેટલાક ઉપાયોથી તમે તમારા ઉપવાસ ફરી શરૂ કરી શકો છો.જો કોઈક રીતે તમારું કરવા ચોથનું વ્રત અધવચ્ચે જ તૂટી જાય તો તમારે દેવી-દેવતાઓ પાસેથી ક્ષમા માગવી જોઈએ અને ફરીથી આ વ્રત રાખવાનો સંકલ્પ કરવો જોઈએ. તેના માટે સૌથી પહેલા તમારા જમણા હાથમાં પાણી ભરો અને 51 વાર ક્ષમા મંત્રનો જાપ કરો. મંત્ર પૂર્ણ કર્યા પછી ચંદ્રને જળ અર્પિત કરો, આમ કરવાથી વ્રત ફરી શરૂ કરી શકાય છે.

ભદ્રા કાળની શરૂઆત પહેલાં વ્રત શરૂ કરો
કરવાચોથના દિવસે ભદ્રાનો પડછાયો કરવા ચોથના દિવસે ભદ્રા સવારે 06.24 થી 06.46 સુધી રહેશે. ભદ્રકાળનો પ્રારંભ ચોથ વ્રતની શરૂઆતમાં થશે. આવી સ્થિતિમાં વ્રત કરનારે સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ, સરગી લેવી જોઈએ અને ઉપવાસનો સંકલ્પ કરવો જોઈએ. આવી સ્થિતિમાં, ઉપવાસ ભદ્રા કાળની શરૂઆત પહેલાં જ શરૂ થઈ જશે. આજે ચંદ્ર દર્શનનો સમય સામે આવી ગયો છે. કરવા ચોથના રોજ ચંદ્રોદયનો સમય આજે સાંજે 7.54 કલાકનો હોવાનું કહેવાય છે.

કરવાચોથ વ્રત અને પૂજા વિધિ
સવારે જલદી જાગીને સ્નાન કર્યા પછી પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે જ, અખંડ સૌભાગ્ય માટે સંકલ્પ લો.
આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે સ્નાન કર્યા પછી કંઈપણ ખાધા-પીધા વિના રહો. આ શક્ય ન હોય તો થોડો ફળાહાર કરી શકાય છે.
સાંજે જ્યાં પૂજા કરવાની છે, ત્યાં એક લાલ કપડું પાથરીને તેના ઉપર ભગવાન શિવ-પાર્વતી, સ્વામી કાર્તિકેટ અને ભગવાન શ્રીગણેશની સ્થાપના કરો.
ચોથ માતાની તસવીર લગાવો અને પૂજા સ્થાન ઉપર માટીનો કરવો (કળશ) પણ રાખો.
કરવામાં થોડું પાણી ભરો અને દીવાથી ઢાંકીને એક રૂપિયાનો સિક્કો રાખો. તેના ઉપર લાલ કપડું રાખો.
પૂજા સામગ્રીથી બધા દેવતાઓની પૂજા કરો. લાડવાનો ભોગ ધરાવો અને આરતી કરો.

ચંદ્ર અને સૌભાગ્ય પૂજા વિધિ
જ્યારે ચંદ્ર ઉદય થઇ જાય ત્યારે ચંદ્રની પૂજા કરો. ચંદ્રને જળ ચઢાવો એટલે અર્ઘ્ય આપો. પછી ચંદન, ચોખા, અબીર, ગુલાલ, ફૂલ અને અન્ય સામગ્રી પણ ચઢાવો.
ત્યાર બાદ પોતાના પતિના પગ સ્પર્શ કરો. તેમના માથે તિલક લગાવો. પતિની માતા એટલે પોતાની સાસુને ભેટીને આશીર્વાદ લો.
સાસુ ન હોય તો પોતાનાથી ઉંમરમાં મોટી અથવા માતા સમાન પરવારની કોઇ અન્ય પરિણીત મહિલાઓને કરવો ભેટ કરો. ત્યાર બાદ પરિવાર સાથે ભોજન કરો.
કરવાચોથની પૂજનની આ સામાન્ય વિધિ છે. પોત-પોતાના રીતિ-રિવાજો અને ક્ષેત્રો પ્રમાણે પણ પૂજા કરી શકાય છે.