સુરત શહેરના જાણીતા પીડિયાટ્રિશિયન ડૉ અશોક કાપ્સેનું આજે નિધન થયું છે. આ સાથે જ શહેરની તબીબી આલમે ડૉ દિલીપ મોદી બાદ વધુ એક લોકપ્રિય તબીબ ગુમાવ્યા છે. ડૉ કાપસે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી કોરોનાની સારવાર કરાવી રહ્યા હતા.
ડૉ. કાપસે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. એમને લાંબા સમય સુધી વેન્ટીલેટર ઉપર પણ રાખવામાં આવ્યા હતાં. થોડા દિવસ પહેલાં જ એમની તબિયતમાં સુધારો આવતાં વેન્ટીલેટર પણ દૂર કરવામાં આવ્યું હતું.
પણ ત્યારપછી સંપૂર્ણ સાજા થવાને બદલે એમને Pseudomonas નામનું ઇન્ફેકશન લાગી ગયું હતું. આ ઇન્ફેકશન ખુબ જ ગંભીર પણ ગણાય છે, આને કારણે આજ જ ડૉ. અશોક કાપસે મૃત્યુ સામેની લડાઈને હારી બેઠા હતાં.એમણે પીડિયાટ્રિક વિભાગમાં પણ એસોસિયેટ પ્રોફેસર તરીકેની ઘણી સેવા આપી છે.
એમનાં પત્ની ડૉ. અલ્કાબેન કાપસે પણ ફિઝિયોલોજી ડીપાર્ટમેન્ટમાં જ પ્રોફેસર છે. ડૉ. અશોક કાપસે ડૉકટર તરીકે તો ઉમદા હતાં પરંતુ આની સાથે જ તેઓ એક વ્યક્તિ તરીકે પણ ખાસ્સા જાણીતાં હતાં. ઘણાં એકેડેમિક તેમજ વ્યવસાયિક સિદ્ધિઓ મેળવનાર ડૉ. કાપસેની છબી એક મૃદુભાષી તેમજ મળતાવડા વ્યક્તિ તરીકે પણ હતી.
ફક્ત સાડા પાંચ ફીટ જ આજુબાજુની શારીરિક ઊંચાઈ ધરાવતાં ડૉ. કાપસે એક વ્યક્તિત્વ તરીકે ખુબ જ ઊંચા હતાં. ડૉ. મુકુલ ચોક્સીએ જણાવ્યું હતું, કે વામન મૂર્તિ વિરાટ સ્વરૂપવાળી વાત ડૉ. કાપસે પર ખરેખર લાગૂ પડે જ છે. એમનું શારીરિક કદ ભલે નાનું હતું પરંતુ તબીબી ક્ષેત્રે એમનું જ્ઞાન દરિયા જેવું ઘણું જ ઊંડું હતું.
આજે સુરતમાં ડૉક્ટર્સની એક સંપૂર્ણ જનરેશન એવી તૈયાર થઇ ગઈ છે, કે જે ડૉ. કાપસેને ‘સર’ કહીને જ સંબોધન કરતી હતી. આની પાછળ એમની એકેડેમિક સજ્જતાની સાથે જ એમનું ઉમદા વ્યક્તિત્વ પણ ખુબ જ જવાબદાર હતું. એમની છાપ પણ એક અજાતશત્રુ વ્યક્તિ તરીકે જ ઊભી થઈ હતી.
આજે જ્યારે ડૉ. અશોક કાપસેએ વિદાય લીધી છે, ત્યારે તો જાણે શહેરની તબીબી આલમ પર જ વજ્રાઘાત લાગ્યો છે.અંદાજે કુલ સાડા ત્રણ દાયકા કરતાં પણ પહેલાં સુરત ખાતે બાળ રોગ નિષ્ણાંત તરીકેની પ્રેક્ટિસ ચાલુ કરનાર ડૉ. કાપસેએ જેટલી સફળતા કન્સલ્ટિંગ ડૉકટર તરીકે મેળવી હતી તેટલી જ સફળતા એકેડેમિકસમાં પણ મેળવી હતી.
વ્યવસાયી ડોક્ટર્સ સ્વાભાવિક રીતે સંશોધન ક્ષેત્રમાં વધુ પડતો સમય ફાળવી પણ ન શકે. પણ ડૉ. કાપસે એ પોતાની ઘણી બધી પ્રેકટીસની સાથે જ અલગ-અલગ રોગોનાં સંશોધન કાર્યમાં પણ ઘણો રસ લેતા હતાં. મેડિકલ પ્રેક્ટિસ તેમજ એકેડેમિક્સનું પણ આવું કોમ્બીનેશન ખુબ જ વિરલ ગણાય છે.
એમણે મેલેરીયા, ડેન્ગ્યુ, પ્લેગ તથા છેલ્લે તો એમણે કોરોના ઉપર પણ ખાસ્સું એવું સંધોધન કાર્ય પણ કર્યું હતું. એમનાં સાચાં રિસર્ચ પેપર્સ દુનિયાની ઘણી જર્નલ્સમાં તો પ્રકાશિત પણ થઇ ચૂક્યા છે. ફક્ત સંશોધન જ નહિ, પણ નિયમિત ધમધોકાર પ્રેક્ટિસ પણ કરતાં હતાં તેમજ રોજ ઘણાં પેશન્ટ્સનો ઈલાજ પણ કરતાં કોઈ પણ ડૉકટર આટલું બધું સંશોધન કાર્ય પણ કરે તેમજ એ સંશોધન કાર્યની વિશાળ ફલક પર નોંધ પણ લેવાય છે. આ વાત તબીબી જગતમાં વિરલ ગણાય રહી છે.
કોરોનાનાં સમય વખતે પણ તેઓ સતત જ પોતાનાં ઓપનિયન્સ પણ વર્તમાન પત્રો દ્વારા ઘણાં લોકો સુધી પહોંચાડી રહ્યા હતા. લોકો નિયમિત ડૉ. કાપસેનાં નિવેદનની રાહ પણ જોતાં હતાં. ફક્ત કોરોના જ નહિ પરંતુ ભૂતકાળમાં આવેલ પ્લેગની મહામારી વખતે પણ ડૉ. કાપસેએ લોકોને દિશાનિર્દેશ આપવાનું જ કાર્ય કરેલું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP