શિક્ષિત બેરોજગાર સમિતિ પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહને રજૂઆત કરવા, જાણો શું મળ્યો જવાબ?

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના શિક્ષિત બેરોજગારો અલગઅલગ માધ્યમોથી સરકાર અવાજ સાંભળે તે માટે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે હવે આ યુવાનો પોતાનો અવાજ સરકાર નથી સાંભળી રહી તેવી ફરિયાદ સાથે રાજ્યની અલગ અલગ રાજકીય પક્ષો ને મળી રહ્યા છે. આજે બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયા સહીત ના નેતાઓ ભાજપ, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને મળ્યા હતા અને સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાને પણ રજૂઆત કરી હતી.

પૂર્વ મુખ્યમંત્રીને મળવા પહોચેલા શિક્ષિત બેરોજગાર સમિતિના નેતાઓને શંકર સિંહે આશ્વાસન આપ્યું હતું અને કહ્યું કે, હું આજે જ રૂપાની અને સી આર પાટીલને આ મુદ્દે ફોન કરીશ. અને સરકાર આ શિક્ષિત બેરોજગાર સમિતિ સાથે બેઠક કરે અને રોજગારીના પ્રશ્નો દુર કરે, અધુરી ભરતીઓ પૂર્ણ કરે. જો આવું ન થાય તો આ ચળવળ ને રાજકીય પક્ષો ટેકો કરીને આંદોલન બનાવશે અને સરકારનો કાન પકડશે.

રૂપાણી સરકાર દ્વારા અવારનવાર રાજ્યના શિક્ષીત યુવાનો માટે સરકારી નોકરી અને સારા ઉજ્જવળ ભવિષ્ય અંગે મોટી મોટી વાતો કરતી આવી છે. રુપાણી સરકાર દ્વારા વિવિધ ભરતી પરીક્ષાઓની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે. સોસિયલ મીડિયામાં ગુજરાત રાજ્યના યુવાનો માટે સારી સારી વાતો કરનાર ભાજપ સરકારની હાલ ગુજરાતના શિક્ષિત યુવાનોએ જ પોલ ખુલી છે.

હાલના સમયમાં સરકાર દ્વારા લેવામાં આવેલ વિવિધ ભરતી પરીક્ષા’ઓમાં અમુક પરીક્ષાઓમાં નિમણુંક બાકી છે, કેટલીય પરીક્ષાઓના પરિણામ જાહેર કરવાના બાકી છે સાથે-સાથે કેટકેટલી પરીક્ષાઓ તો એવી છે કે જેની માત્ર જાહેરાત જ કરવામાં આવી છે. પરંતુ તેની કોઈ તારીખ જાહેર કરવામાં નથી આવતી, આ તમામ બાબતો અંગે એક અભિયાન ઉભું થયું છે.

તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *