ભારે વરસાદને કારણે ગેટવે ઓફ ઈન્ડિયા પાણીમાં ડૂબ્યું? જાણો વાયરલ વીડિયોની હકીકત

Gateway of India Fact Check: સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ઘટના અંગેના ખોટા સમાચાર વાયરલ થાય છે. આ ફેક ન્યૂઝને એવા કેપ્શન સાથે વાયરલ કરવામાં આવે છે કે સામાન્ય લોકો સરળતાથી ફેક ન્યૂઝનો શિકાર બની જાય છે. ત્યારે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા(Gateway of India Fact Check) પર વાયરલ થઇ રહ્યો છે.  તો આજે અમે તમને જણાવીએ કે આ સમાચારમાં કેટલી હકીકત છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભારે વરસાદને કારણે મુંબઈના પ્રખ્યાત ગેટવે ઑફ ઈન્ડિયા પર પૂર આવ્યું છે. તો ચાલો શુંછે હકીકત.

શું થઈ રહ્યું છે વાયરલ?
મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે. સોશિયલ મીડિયા પર વરસાદ સાથે જોડાયેલી ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયાની આસપાસ પૂર આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર  ફેન્ટમ નામના યુઝરે આ વિડીયો શેર કર્યો છે.

હકીકત આવી સામે
ગેટવે ઓફ ઈન્ડિયા પર પૂરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા હેન્ડલ્સથી શેર કરવામાં આવી રહ્યો છે. જે બાદ હકીકતની તપાસ કરવામાં આવી હતી. સૌ પ્રથમ, અમે ગૂગલ ઓપન સર્ચની મદદથી ગેટવે ઓફ ઈન્ડિયા પર પૂર સંબંધિત સમાચારો સર્ચ કર્યા. જો કે, ગેટવે ઓફ ઈન્ડિયામાં પૂર આવ્યું હોવાનો ક્યાંય પણ નવો દાવો કરવામાં આવ્યો નથી. આ પછી અમે ગૂગલ રિવર્સ ઈમેજીસની મદદ લીધી.

આ કરતી વખતે, અમને ABC News દ્વારા 18 મે, 2021ના રોજ શેર કરવામાં આવેલ એક વીડિયો મળ્યો, જે વાયરલ થઈ રહેલા વીડિયો સાથે સ્પષ્ટ રીતે મેળ ખાતો હતો. આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે – ચક્રવાત તૌકટે ભારતના પશ્ચિમ કિનારા તરફ આગળ વધતાં ગેટવે ઓફ ઈન્ડિયા ડૂબી ગયો. મામલો સ્પષ્ટ હતો કે મુંબઈમાં વરસાદના નામે હાલમાં એક જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

હકીકત તપાસમાં શું મળ્યું?
હાથ ધરવામાં આવેલ હકીકત તપાસમાં બહાર આવ્યું છે કે  ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આવેલા પૂરને મુંબઈમાં વર્તમાન વરસાદ સાથે કોઈ લેવાદેવા નથી. વાયરલ થઈ રહેલો વીડિયો વર્ષ 2021નો છે જ્યારે ચક્રવાત તૌકતાએ ત્રાટક્યું હતું. લોકોને આવા કોઈપણ દાવાઓથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.