બીજી પત્ની સાથે ઝઘડો થતા પિતાએ પહેલી પત્નીના દીકરાને જાહેરમાં જ વેતરી નાખ્યો- ઘટના CCTVમાં કેદ

મુંબઈ: નવી મુંબઈના સાનપાડા સ્ટેશન પર એક નિર્દય પિતાએ તેના ચાર વર્ષના પુત્રને જાનથી મારી નાખ્યો હતો. આરોપી તેની પત્ની સાથે ઝઘડો કરી રહ્યો હતો, તે…

મુંબઈ: નવી મુંબઈના સાનપાડા સ્ટેશન પર એક નિર્દય પિતાએ તેના ચાર વર્ષના પુત્રને જાનથી મારી નાખ્યો હતો. આરોપી તેની પત્ની સાથે ઝઘડો કરી રહ્યો હતો, તે દરમિયાન તેનું બાળક ત્યાં આવ્યું અને તેણે બાળકને ઉપાડ્યું અને તેને ફ્લોર પર ઘણી વખત પછાડીયો હત, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના રેલવે સ્ટેશન પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સ્થળ પર હાજર લોકોની ગવાહી બાદ જલ્લાદ પિતાની પોલીસે ધરપકડ કરી છે.

આરોપી સકલસિંહે બે લગ્ન કર્યા હતા અને તે તેની બીજી પત્ની સાથે ઘણા દિવસોથી ઝઘડો કરતો હતો. 20 સપ્ટેમ્બરના રોજ તે સાનપાડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર તેની પત્ની સાથે ઝઘડો કરી રહ્યો હતો. આ દરમિયાન મામલો એટલો વધી ગયો કે, સકલસિંહે તેની પ્રથમ પત્નીના પુત્ર પ્રશાંતને પ્લેટફોર્મ પર ઉપાડીને પટક્યો હતો. સ્ટેશન પર હાજર લોકોએ તેને રોકવાની કોશિશ કરી, પરંતુ તેણે બાળકને ઘણી વખત તમાચો માર્યો હતો, જેના કારણે બાળકનું સ્થળ પર જ મોત થયું હતું.

આરોપી મૂળ યવતમાલનો રહેવાસી હતો અને તેની બીજી પત્ની સાથે સ્ટેશન તરફ જતા પુલ નીચે રહેતો હતો. તેની પ્રથમ પત્ની ગામમાં રહે છે. સકલસિંહનો તેના બીજા સાથે વિવાદ ચાલી રહ્યો હતો. મૃતક આરોપીની પ્રથમ પત્નીનો પુત્ર હતો અને થોડા દિવસો પહેલા ગામથી અહીં રહેવા આવ્યો હતો. ઘટના દરમિયાન, તે તેની બીજી પત્ની સાથે પુત્રની ક્રિયાઓને લઈને ઝઘડો કરી રહ્યો હતો.

વાશી જીઆરપીના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક વિષ્ણુ કિરકરે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે સવારે 8.45 વાગ્યાની આસપાસ બની હતી. પકડાયા બાદ, સકલ સિંહે જૂઠું બોલ્યું કે, તેણે તેના પુત્રને માર્યો નથી. જો કે, સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે, તે તેના પરિવાર સાથે ચાલતો હતો અને અચાનક તેને તેના પુત્રને પ્લેટફોર્મ પર પછાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *