એવી તો શું મજબૂરી હશે કે, પિતાએ પોતાના જ નિંદ્રાધીન પુત્રને કુહાડીના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું

નવસારી(Navsari): હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક બાપ-દીકરાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ તેના…

નવસારી(Navsari): હત્યા (Murder)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક બાપ-દીકરાના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ તેના જ પુત્રની હત્યા કરી નાખી છે. 20 વર્ષીય પુત્ર ઊંઘી રહ્યો હતો એ દરમિયાન પિતાએ માથામાં કુહાડીના ઘા ઝીંકી દીધો હતો. પિતાએ કયા કારણે પુત્રની હત્યા કરી નાખી તે વાત સામે આવી નથી. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ચકચાર મચાવતી આ ઘટના નવસારીના ખેરગામ તાલુકાના નારણપોર ગામમાં બની છે. નારણપોર ગામ ખાતે ઝઘડિયા ફળિયામાં રહેતા એક પિતાએ તેના પુત્રની હત્યા કરી નાખી છે. જેમાં ગણેશભાઈ પટેલની તેના પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી નાખી છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારમાં પુત્ર ઊંઘી રહ્યો હતો ત્યારે પિતાએ પુત્રના માથામાં કુહાડીના ઘા મારી દીધા હતા. જેને કારણે 20 વર્ષીય યુવક મોતને ભેટ્યો હતો.

હત્યાનું પ્રાથમિક તારણ:
હત્યાના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે કે, પુત્ર ગણેશ બેરોજગાર હતો અને અવારનવાર પિતા પાસે પૈસાની માગણી કરતો હતો. પિતા ભગુ પટેલ લાકડા તોડવાની મજૂરી કરતા હતા. ત્યારે સંભવિત રીતે પિતા ભગુ પટેલ પુત્રની પૈસા માંગવાની હરકતથી કંટાળ્યા હતા અને આજે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પુત્રની હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *