અમદાવાદ શહેરના ગોડાઉનમાં અડધી રાતે અચાનક ભભૂકી ઉઠી ભીષણ આગ, 24 ફાયર બ્રિગેડએ 2 કલાકમાં મેળવ્યો કાબૂ

ગુજરાત રાજ્યમાં અવાર નવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે. ઘણી વાર કારખાના, દવાખાના તેમજ કંપનીઓમાં આગ લગતી હોય છે તેમજ કેટલીક વખત એવી ગંભીર પરીસ્થિતિ પણ સર્જાય છે કે, નિર્દોષ લોકોએ તેનો જીવ ગુમાવવો પડે છે.

તે સમયે અમદાવાદ શહેરમાં વધારે એક કારખાનામાં આગ લાગવાનો બનાવ બહાર આવ્યો છે. અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશન પાસે આવેલા યોગેશ્વર ટિમ્બર માર્ટ નામનાં લાકડાનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી.

હાઇડ્રોલિક ક્રેનની મદદ લીધી હતી
ત્રણ માળનાં ગોડાઉનમાં લાગેલી આ આગ એટલી બધી ભયંકર હતી કે, એનાં પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડની 24 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી હતી. માત્ર એટલું જ નહીં હાઇડ્રોલિક ક્રેનની પણ મદદ લીધી હતી. આગનું પ્રમાણ વધતા તકેદારીનાં ભાગરૂપે આજુબાજુ બધા રહેવાસીઓનાં મકાન ખાલી કર્યા હતા. ફાયરબ્રિગેડનાં ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચી કામગીરીમાં જોડાય ગયા હતા.

શોર્ટ સર્કિટનાં લીધે આગ લાગી
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 2 કલાક પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટનાં લીધે આગ લાગી હોય એવી માહિતી પ્રાપ્ત થઇ છે. નોંધનીય વાત એ છે કે, આગ લાગી તો પણ અહિયાં જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *