ભારતના આ મંદિરોમાં નથી મળતો પુરુષોને પ્રવેશ -રહસ્યમય કારણ જાણી ચોંકી ઉઠશો

ભારતમાં ધર્મ વિશે ઘણી વિચિત્ર માન્યતાઓ છે. શું તમે તેમના વિશે જાણો છો? ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં પુરુષોને જવાની મનાઈ છે. ઘણા મંદિરોમાં વર્ષના થોડાક દિવસ ફક્ત મહિલાઓને જ પ્રાર્થના કરવાની છૂટ છે. ચાલો તમને ભારતના આવા કેટલાક ધાર્મિક સ્થળો વિશે જણાવીએ.

કેરળના અતુકલ ભગવંતી મંદિરમાં એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની જવાબદારી ફક્ત મહિલાઓને સોંપવામાં આવી છે. તેના મુખ્ય તહેવાર અતુકલ પોંગલમાં દરેક જગ્યાએ ફક્ત મહિલા ભક્તોની જ ભીડ જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ધાર્મિક પ્લેટફોર્મ પર મહિલાઓ આટલી મોટી સંખ્યા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે. લગભગ 10 દિવસ માટે ઉજવવામાં આવતા આ તહેવાર ફેબ્રુઆરીથી માર્ચની વચ્ચે ઉજવવામાં આવે છે.

આ બ્રહ્મા દેવતાના દુર્લભ મંદિરોમાંનું એક છે. આ પ્રખ્યાત મંદિરમાં પરણિત પુરુષોને બ્રહ્મા દેવતાની પૂજા કરવા માટે  ગર્ભગૃહમાં જવાની મંજુરી આપી નથી. મંદિરમાં એક દેવતાની પૂજા કરવા છતાં આજ સુધી અહીંયા પુરુષોને જવાની મંજૂરી નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન બ્રહ્મા દેવી સરસ્વતી સાથે યજ્ઞ કરવાના હતા. પરંતુ જ્યારે દેવી સરસ્વતી ત્યાં મોડી પહોંચી ત્યારે તેણે દેવી ગાયત્રી સાથે લગ્ન કર્યા અને યજ્ઞ પૂર્ણ કર્યો હતો. ત્યારે સરસ્વતીએ શ્રાપ આપ્યો હતો કે, આ મંદિરમાં આજ પછી કોઈ પુરુષ આવશે નહીં. જો આવું થાય છે, તો તેનું પરિણીત જીવન દુ:ખદ થઇ જશે.

આ મંદિર આસામના કામખ્યા મંદિર જેવું જ એક શક્તિસ્થળ છે. અહીં પુરુષોને એ સમયે મંદિર પરિસરમાં જવાની મંજૂરી નથી જ્યારે દેવીના માસિક સ્રાવનો સમય હોય છે. આ સમય દરમિયાન ફક્ત મહિલાઓ જ મંદિરની સંભાળ રાખવા માટે પ્રવેશ કરી શકે છે. આ અંગે અહીં ખૂબ જ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. મંદિરના પૂજારી પણ આ શુભ સમય દરમિયાન પરિસરમાં પ્રવેશ કરી શકતા નથી. મંદિરમાં પૂજા અને આરતીની જવાબદાર પણ મહિલાઓ પર હોય છે.

ભારતના દક્ષિણ ભાગમાં આવેલા આ મંદિરમાં 365 દિવસના કોઈપણ સમયે પુરૂષોને જવાની મંજૂરી અપાય નથી. મંદિરના દરવાજા સુધી ફક્ત સંન્યાસીન પુરુષોને જ મંજૂરી છે, જ્યારે પરિસરમાં પરિણીત પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મંદિરમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે અને તે 52 શક્તિપીઠોમાંની એક માનવામાં આવે છે. પુરાણો અનુસાર, સતીની જમણો ખભા અને કરોડરજ્જુનો ભાગ આ સ્થળે પડ્યો હતો, જે કન્યાકુમારી મંદિરની અંદર સ્થિત છે. એવી કેટલીક માન્યતાઓ છે કે, આ સ્થાન પર ભગવાન શિવએ લગ્ન સમયે માતા પાર્વતીનું અપમાન કર્યું હતું અને ત્યારથી અહીં પુરુષો પર પ્રતિબંધ છે.

આસામના ગુવાહાટીના નીલાંચલ ટેકરી પર બાંધવામાં આવેલું આ મંદિર દર વર્ષે અંબુબાચી મેળાનું ભવ્ય આયોજન કરે છે, જ્યાં લોકો દૂર-દૂરથી આવે છે. જો કે આ દરમિયાન મંદિરના દરવાજા ચાર દિવસ સુધી બંધ રહે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ સમય દેવીના માસિક સ્રાવનો છે. એટલા માટે આ દિવસોમાં અહીં મંદિરની અંદર પુરુષોને જવા દેવામાં આવતા નથી. પૂજા અથવા અન્ય કાર્ય માટે ફક્ત મહિલાઓ અથવા સંન્યાસીન પુરુષો જ પરિસરમાં પ્રવેશ મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *