જન્નત મળશે’ એવી વાતોમાં આવી સુરતના ભટારનો 19 વર્ષીય સંતોષ અબ્દુલ્લા બની ગયો

સુરતના ભટારમાં રહેતા એક 19 વર્ષના યુવકનું માઇન્ડ વોશ કરી તેના મુસ્લિમ મિત્રો ઘરેથી ભગાડીને લઇ ગયા હતા. પરિવારે 7 વર્ષ બાદ પોલીસની મદદથી તેની…

સુરતના ભટારમાં રહેતા એક 19 વર્ષના યુવકનું માઇન્ડ વોશ કરી તેના મુસ્લિમ મિત્રો ઘરેથી ભગાડીને લઇ ગયા હતા. પરિવારે 7 વર્ષ બાદ પોલીસની મદદથી તેની શોધ થઇ ત્યારે પરિવારને ખબર પડી કે, તેના પુત્રનું ધર્મપરિવર્તન કરાવી લીધું છે.

યુવકને સારંગપુરથી શોધીને ઘરે લાવ્યા હતા પરંતુ 4 જ મહિનામાં ફરીથી ભાગી ગયો હતો. સંતોષ નામનો આ યુવક હાલ અબ્દુલ્લા બની ગયો છે અને દિલ્હી નજીકની કોઈ મસ્જિદમાં કુરાનના પાઠ ભણાવી રહ્યો છે.

ભટારના આઝાદનગરમાં બે ભાઈ સાથે સંતોષ મોહન પંઢર રહેતો હતો. 2013માં મુસ્લિમ મિત્રો સાથે રખડતો હતો અને કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો. 2020માં સારંગપુરથી પોલીસ તેને લઈ ઘરે આવી હતી. ત્યારબાદ ફરી ભાગી જઈ હાલ દિલ્હી નજીકની મસ્જિદમાં કુરાનના પાઠ ભણાવતો હોવાનો વીડિયો પરિવારને મોકલી રહ્યો છે.

ભાઈઓ સાથે વાતચીત દરમિયાન સંતોષ ફોન પર એક વખત એવું બોલ્યો હતો કે, હું મુસ્લિમ બની ગયો, એટલે હવે મને જન્નત મળશે. મને દેશ બહાર જમ્મુ-કાશ્મીરની બોર્ડરથી મોકલવામાં આવશે.

અબ્દુલ્લાના ભાઈ દિનેશએ કહ્યું હતું કે, અમે ખૂબ ગરીબ છીએ, સંતોષ જ્યારે ઘર છોડીને ગયો ત્યારે પણ અમારી હાલત ખૂબ જ ખરાબ હતી. સંતોષને મફતમાં ખાવાનું આપવામાં આવતું હતું. કોઈ કામધંધો ન કરવો પડે એટલે તેને ધર્મપરિવર્તન કરવામાં મજા આવી હતી. તેને ખૂબ સમજાવીએ છીએ, પરંતુ તે સમજવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *