વિદેશની ધરતીપર પહેલીવાર એકસાથે નવ ચર્ચની જગ્યાએ સ્થપાયા સ્વામીનારાયણ મંદિર

શું તમે જાણો છો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વિદેશમાં 9 જેટલા ચર્ચની જગ્યાએ સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી છે. બ્રિટનના લંડન, બોસ્ટન, અમેરિકાના કેલિફોર્નિયા, ડેલાવર, કન્ટકી, વર્જિનિયા તથા કેનેડા, ઓસ્ટ્રેલિયામાં ચર્ચની જગ્યાએ ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે. દરેક ચર્ચોમાં કોઈ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી તેમજ મંદિરોના સનાતન હિન્દુ ધર્મની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

મંદિરના સંત ગુરુપ્રિયદાસજી સ્વામીના જણાવ્યા મુજબ 1972થી મુક્તજીવન સ્વામીબાપા તથા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દ્વારા ચર્ચ ખરીદવાની શરૂઆત થઇ હતી. ચર્ચને મંદિરમાં ફેરવવાનું મુખ્ય કારણ એક જ હતું કે, ત્યાંના સ્થાનિકો અંદરોઅંદર કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય વધવાના લીધે એક પછી એક ચર્ચને વેચતા હતા. ખાસ વાત તો એ છે કે, ચર્ચમાં પહેલેથી રખાયેલી તમામ પ્રતિમા, પેઇન્ટિંગ્સ ત્યાંને ત્યાં જ રાખવામાં આવી હતી.

વર્ષો પહેલાં હજારોની કિંમતમાં લંડનનું ચર્ચ ખરીદવામાં આવ્યું હતું. ત્યાં ક્રમશ એક પછી એક ચર્ચની ખરીદી કરવામાં આવી હતી. હાલ પણ દરેક ચર્ચમાં દર શનિવાર અને રવિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેતા હોય છે. મંદિરમાં દરરોજ ભગવાનની સેવાપૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત લંડનના ચર્ચમાં સનાતન હિન્દુ ધર્મના દેવતા ગણપતિ, હનુમાનજી, તેમ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *