માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા ઘરની ચાર દીકરીઓએ આપી માતાની અર્થીને કાંધ, દ્રશ્યો જોઈ નતમસ્તક થયા લોકો- ‘ઓમ શાંતિ’

હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ (Ahmedabad)માં રહેતાં વૃદ્ધાનું આજે હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. ત્યારે વૃદ્ધાની…

હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ (Ahmedabad)માં રહેતાં વૃદ્ધાનું આજે હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. ત્યારે વૃદ્ધાની અંતિમ ઈચ્છા હતી કે તેમની ચારે દીકરીઓ તેમને કાંધ આપી અને અગ્નિદાહ આપે. જેના કારણે ચારેય દીકરીઓએ પોતાની માતાના મૃતદેહને કાંધ આપી અને અગ્નિદાહ આપ્યો હતો. આ રીતે તેઓએ પોતાની માતાની અતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી. તેમજ પોતાની ફરજ પણ નિભાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાર્ટ એટેક આવતા સિવિલ ખસેડાયા હતાં:
મળતી માહિતી અનુસાર, 78 વર્ષીય દાવડા કંચનબેન બાબુભાઈ મૂળ બોટાદના વતની છે. હાલ તેઓ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં સદગુરુ બંગ્લોઝમાં રહેતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરીઓ જ છે. એક પણ દીકરો નથી. તેઓને હૃદય રોગના હુમલાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ત્યારે ગત મોડી સાંજે તેમનું અવસાન થયું હતું.

અંતિમ યાત્રામાં પરિજનો જોડાયાં:
તેમના મૃત્યુના સમાચાર મળતા જ અલગ અલગ શહેરોમાં પરણાવેલી ચાર દીકરીઓ અમદાવાદ આવી તેમનાં માતાના અંતિમ દર્શન કર્યાં હતાં. ત્યારે તેમની માતાની ઈચ્છા હતી કે, ચારે દીકરીઓ તેમને કાંધ આપી અને અગ્નિદાહ આપે. જેથી ઘરેથી ખોખરા સ્મશાનગૃહ સુધી સ્મશાનયાત્રા નીકળી હતી.

જેમાં તમામ દીકરીઓએ તેઓને કાંધ આપી હતી. ચાર દીકરીઓએ કાંધ આપતાં જોઈ સૌ કોઈ આ અંતિમ યાત્રાને નિહાળીને દીકરીઓની આ પહેલને નતમસ્તક થઈને મૃતકના આત્માને શ્રદ્ધાંજલી આપવાનું ચૂક્યાં નહોતાં. ચારેય દીકરીઓએ પોતાની માતાની અંતિમ ઈચ્છા વિધિવત્ રીતે પૂર્ણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *