ગોંડલમાં બે નરાધમોએ છરી બતાવી સગીરાની આબરૂ લુંટી, આટલું જ નહિ ‘લગ્ન પછી પણ જયારે બોલાવે ત્યારે…’

દુષ્કર્મ (Mischief)ના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ ગોંડલ (Gondal)માંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગોંડલના…

દુષ્કર્મ (Mischief)ના કેસો ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ ગોંડલ (Gondal)માંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગોંડલના ભગવતપરા (Bhagwatpara)માં રહેતી સગીરાને પાડોશમાં જ રહેતા બે શખસ છરી બતાવી અનેકવાર દુષ્કર્મ આચરતા હતા. આ બંને નરાધમો સગીરાને કહેતા હતા કે, તારા લગ્ન થઈ જાય પછી પણ અમે કહીએ ત્યારે અમારી સાથે આવવું પડશે. બંને ફોન પર ધમકીઓ આપતા હતા. તેથી આ અંગે સગીરાની માતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગોંડલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:
આરોપીના નામ નાઝીર સમીરભાઇ શાહમદાર (35) અને સમીર છે. આ બંને નરાધમો સગીરાની પાડોશમાં જ રહેતા હતા. અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાને કારણે આ અંગેની ફરિયાદ સિટી પોલીસ મથકમાં સગીરાની માતાએ નોંધાવી હતી. તેથી પોલીસે IPC કલમ 376, 506, 2, 114 અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધ્યો છે. અને પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મોબાઈલમાં સગીરાને ધમકી આપતા:
પોલીસના જણાવ્યા અનુસાર, દુષ્કર્મ ઉપરાંત બંને શખ્સ સગીરાને મોબાઈલ ઉપર અનેકવાર મોબાઈલ પર ધમકીઓ આપતા હતા. તેથી પોલીસે મોબાઇલ રેકોર્ડિંગ કબ્જે કરી બંને શખસને ઝડપવા શોધખોળ હાથ ધરી છે. અને ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે, તેવો દાવો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *