માં મોગલને અઢારે વરણની માતા માનવામાં આવે છે. આ ઘોર કળયુગમાં મોગલ માંનો મહિમા અપરંપાર છે. માં મોગલના દ્વારે આવનાર તમામ ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે. માં મોગલ તો સાક્ષાત પરચાઓ પુરનારી માતા છે. જયારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેઓ અચૂક માં મોગલ ને યાદ કરે છે અને માં મોગલ પર વિશ્વાસ રાખી માનતા માને છે અને પૂર્ણ થતા માં મોગલ ના દરબારે આવી પહોચે છે.
માં મોગલના તેમના પરચા માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે. ત્યારે મણિધર બાપુ કબરાઉ ધામ બિરાજે છે. માતા મોગલ તેના ચરણે આવેલા દરેક ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે. ત્યારે ઈચ્છા પૂર્ણ થતાં કેટલાક ભક્તો તો અહીં હજારો રુપિયા લઈને આવે છે. પરંતુ અહીં એકપણ રુપિયાનું દાન લેવામાં આવતું નથી. અહીં મણીધર બાપુ માતાની સેવા કરે છે.
ત્યારે આજે આપણે માં મોગલના આવા જ વધુ એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવક પોતાની, માનતા પૂરી કરવા માટે 1,03,000 રૂપિયા લઈ કબરાઉ ધામ આવેલા માં મોગલના દરબારે આવી પહોંચ્યો હતો. ત્યારે બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા માની હતી?, ત્યારે યુવકે કહ્યું હતું કે, ઘણા લાંબા સમયથી તેનું મકાન વેચાતું નહોતું તેના કારણે તેને મા મોગલ ની ઉપર શ્રદ્ધા રાખી હતી અને શ્વાસ રાખ્યો હતો, તેના કારણે થોડા સમયમાં જ મકાન વેચાઈ ગયું હતું.
જેને પગલે યુવક માનતા પૂરી કરવા માટે માં મોગલના ચરણે 1,03,000 રૂપિયા અર્પણ કરવા માટે આવ્યો હતો. એવામાં મણીધર બાપુએ ₹1,03,000 ની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે આ માનતા તારી મા મોગલ એ દસ ગણી સ્વીકારી લીધી છે. આ રૂપિયા તારી બહેનને આપી દેજે મા મોગલ ખુબ જ રાજી રાજી થઈ જશે. સાથે સાથે મંદિર બાપુએ યુવકને એવું પણ કહ્યું હતું કે આ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ તારો માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો વિશ્વાસ છે જેના થકી આ કાર્ય પૂરું થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.