રાજકોટમાં વધુ એક દીકરીનું રહસ્યમય રીતે મોત- કુવામાંથી એવી હાલતમાં લાશ મળી કે, પરિવાર ઓળખી ન શક્યો

Rajkot Gujarat: ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટના મોરબી રોડ પર ગૌરીદળ ગામ આવેલું છે. ગૌરીદળ ગામમાં પરિવાર સાથે શર્મિલાબેન જુવાનસિંહ આદિવાસી રહેતી હતી. તેની ઉમર 18…

Rajkot Gujarat: ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટના મોરબી રોડ પર ગૌરીદળ ગામ આવેલું છે. ગૌરીદળ ગામમાં પરિવાર સાથે શર્મિલાબેન જુવાનસિંહ આદિવાસી રહેતી હતી. તેની ઉમર 18 વર્ષ હતી. શર્મિલા પેટીયુ રળવા આવી હતી. પણ આજે તેનો મૃતદેહ કૂવામાં તરતો દેખાયો હતો.

મૃતદેહ કુવામાં તરતો જોઇને લોકોએ 108ની ટીમને ઘટનાની જાણ કરી અને જાણ થતા 108 તેની ટીમ સાથે તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી. 108ની ટીમે કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો અને તપાસીને મૃત જાહેર કરી હતી. મળેલી માહિતી અનુસાર બે વર્ષ પહેલા જ યુવતીની સગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે.

જયારે પરિવારને દીકરીના મોતના સમાચાર મળ્યા ત્યારે સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી અને જાણવા મળ્યું હતું કે, શર્મિલાની સગાઈ બે વર્ષ પહેલા થઈ ગઈ હતી. હોળી પછી શર્મિલાના લગ્ન હતા. શર્મિલાની નાની બહેન પહેલા ભાગી ગઈ હતી અને શર્મિલા પણ કોઈને કાઈ કહ્યા વગર ગઈ એટલે પરિવારને થયું કે, શર્મિલાપણ ભાગી ગઈ છે તેવી શંકાએ પરિવાર વહેલી સવારે પોતાના વતનમાં જવા નીકળી ગયો હતો.

પરિવાર સરધાર પાસે પહોચ્યો ત્યારે માલિક નીતિનભાઈ અજાણીએ પરપ્રાંતીયએ ફોન કરી તેમની પુત્રીનો મૃતદેહ કૂવામાં હોવાની જાણ કરી હતી. જાણ મળતા પરિવાર પરત ફર્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *