ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનો કોરોના બાબતેનો દાવો જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

ગોવિંદભાઈ ધોળકિયા એક એવું નામ છે જેનાથી કદાચ જ કોઈ ગુજરાતી અજાન હશે. SRK ડાયમંડ્સથી ભામાશા બનેલા ગોવિંદભાઈ પોતાની પરોપકારી વૃત્તિ અને સેવાભાવી વૃત્તિથી અનેક…

ગોવિંદભાઈ ધોળકિયા એક એવું નામ છે જેનાથી કદાચ જ કોઈ ગુજરાતી અજાન હશે. SRK ડાયમંડ્સથી ભામાશા બનેલા ગોવિંદભાઈ પોતાની પરોપકારી વૃત્તિ અને સેવાભાવી વૃત્તિથી અનેક ગુજરાતીઓના દિલમાં સ્થાન પામ્યા છે. ત્યારે તેઓનો પોતાના કારીગરો સાથેની મીટીંગનો એક વિડીયો વાઈરલ થયો છે જેમાં તેઓ એક વિડીયો કોન્ફરન્સીંગ મીટીંગમાં કહી રહ્યા છે તેનાથી કદાચ ગુજરાતીઓની ચિંતા વધી જશે.

વાઈરલ થયેલા વિડીયોમાં ગોવીદભાઈ જણાવે છે કે, આ(કોરોના) ક્યારે પૂરું થાય એનું નક્કી નથી. હજી સુધી કોઈને કાઈ ખબર નથી કે કારખાનું ક્યારે શરુ થશે, કેવી રીતે ચાલુ થશે. લોકડાઉન ભલે ઉઠી જાય પણ પ્રતિબંધો તો લોકડાઉન જેવા જ રહેશે. એટલે આપણને ફ્રીડમ મળી જાય એવું કાઈ છે નહી. દિવાળી સુધી આપણે આવી ને આવી રીતે ઓછામાં ઓછું બધાએ બંધનમાં રહેવાનું છે કે બધાથી અલગ રહેવાનું છે.

ભારતમાં અત્યારે કોરોનાના કેસ આવ્યા છે તેનાથી હજી ઘણા વધવાના છે. જો વધવાના જ હોય તો કોરોનાથી આપણે ૨ મહિના બંધ રહ્યા તેનાથી આપણને ફાયદો એ છે કે, અત્યારે કોરોના ના કેસ હજારો માં છે. કરોડોમાં કે લાખોમાં નથી. આપણે બચી ગયા છીએ એ ફાયદો છે.

હવે બધા જાગૃત થઇ ગયા કે આપણે કોરોનાથી જાળવવાનું છે. હવે જે કોરોના ફેલાવા નો હતો એ ઓછો ફેલાશે. આપણી ઓફીસ કારખાના 100 કારીગર થી શરુ થશે, પછી 200 અને પછી 1000 કારીગર. પણ ક્યારે થશે એ નક્કી નથી. એ સમય જ એ સમય કહેશે. આ કઈ સરકાર કે કમિશ્નર- કલેક્ટરના હાથમાં નથી. અમારી જેવા ઉદ્યોગપતિ કે કંપનીના હાથની વાત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *