ગુજરાત: “તારો પતિ મારા શરીરમાં આવે છે” એવું કહીને ભુવાએ વિધવા મહિલા પર આચર્યું દુષ્કર્મ

છોટા ઉદેપુર(Chhota Udepur): આજકાલના લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. અંધશ્રદ્ધામાં લોકો શું કરી બેસે તેની પણ ખબર નથી રહેતી. હાલમાં એવા ઘણા કેસો સામે આવી રહ્યા છે જેમાં લોકો અંધશ્રદ્ધામાં આવીને મુસીબતને આમંત્રણ આપતા હોય છે. તાંત્રિકો તેમના તંત્ર મંત્રથી લોકોને પોતાની જાળમાં ફસાવીને ખરાબ કામ કરતા હોય છે. આજના અત્યાધુનિક સમયમાં હજી પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં ભૂત, ચુડેલ, જિન જેવી બાબતો પર લોકોને વિશ્વાસ છે. આ અંધવિશ્વાસના કારણે કેટલીકવાર માણસ ભારે તકલીફ વેઠે છે અને ક્યારેક તેને જીવથી પણ હાથ ધોવા પડે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતના છોટા ઉદેપુરમાંથી સામે આવી છે.

છોટા ઉદેપુરમાં આવેલ સંખેડા તાલુકાના(Sankheda taluka) એક નાનકડા ગામમાં અંધશ્રદ્ધાની (Superstition) આડમાં એક ભુવાએ વિધવા મહિલા પર દુષ્કર્મ(Rape) આચર્યું છે. હાલમાં સંખેડા પોલીસે (Sankheda police) દુષ્કર્મ આચારનાર ભૂવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ દંપતી સંખેડા તાલુકામાં આવેલ એક મંદિર પર પોતાની આસ્થાના કારણે અવાર-નવાર આવતા જતાં હતા. મંદિરના પૂજારી અને ભૂવાનું કામ કરતાં જીતેન્દ્ર (ઉર્ફે લાલા કાળુ પરમાર)ના સંપર્કમાં આ દંપતી આવ્યું હતું. ભાગવાની આસ્થાના કારણે વારંવાર મંદિરે આવતા આ દંપતી સાથે પારિવારીક સબંધો પણ બંધાયા હતા. જેના કારણે ભૂવો અવાર-નવાર દંપતીના ઘરે પણ આવતો જતો હતો.

1 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. કોરોનામાં પતિનું મૃત્યુ થતા ભૂવો વિધિના બહાને મહિલાના ઘરે આવતો હતો. તેના પર ભૂવાની ખરાબ નજર છે તેનો તેને ખ્યાલ આવ્યો હતો. પરંતુ બુવાની વાતોમાં આવીને તેને સાથે અને તેના પરિવાર સાથે હમદર્દી રાખે છે તેમ લાગતું હતું. જાન્યુઆરી મહિનામાં મહિલાને કોરોનાની અસર થતા ભૂવાએ તેના ઘરે આવવા જણાવ્યું અને કહ્યું કે, મારા ઘરે ઉપરનો માળ ખાલી ત્યાં આવતા રહો જેથી તમારા ઘરના અન્ય સભ્યોને કોરોનાનો ચેપ ન લાગે. મહિલાએ ભૂવાની વાત માની અને ભૂવાના ઘરે રહેવા માટે આવી હતી.

ભુવાની વાતોમાં ભોળવાઈને મહિલા તેના ઘરે ક્વોરન્ટાઇન થઇ હતી. તે સમયે એકલતાનો લાભ લઈ મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ ભૂવાએ ધમકી પણ આપી હતી કે, કોઈને પણ કશું કહ્યું તો જાનથી મારી નાખીશ. મહિલાએ કોઈને વાત ના કરી અને બે દિવસ બાદ ફરી મહિલાને જણાવ્યુ કે, “તારો પતિ મારા શરીરમાં આવે છે. જેના લીધે તારે મારી સાથે 25 જાન્યુઆરી સુધીમાં ફૂલહાર કરવા પડશે. જો તું મારી સાથે ફૂલહાર નહી કરે તો તારા ઘરના સભ્યમાથી કોઈનું મોત થશે અથવા 28 તારીખે મારું મોત થશે.” ત્યારે ફરી વખત ભુવાની વાતોમાં આવીને મહિલાએ તેની સાથે ફૂલહાર  કરી લીધા.

25 જાન્યુઆરીએ મંદિરમાં ભૂવાએ મહિલાને બોલાવી અને ફૂલહાર કરી લીધા. જોકે, આ દરમિયાન યુવતીના પિતાને જાણ થતાં તે ત્યાં આવી ગયા હતા. ભૂવાએ જણાવ્યુ કે તેને મારા સાથે ફૂલહાર કર્યો છે જેથી તે હવે અહી રહેશે. જોકે પિતાએ તેની દીકરીને સમજાવી અને કહ્યું કે ભૂવો પરણીત છે અને હિન્દુ ધર્મ પ્રમાણે તે ના રહી શકે. મહિલાએ પિતાની વાત ધ્યાને લીધી અને પિતા સાથે તે ઘરે આવી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *