સુરતમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યા પહેલાં પત્નીને ફોન કરી કહ્યું એવું કે…

હાલમાં આપણે જાણીએ છીએ કે આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવે છે. આ દરમિયાન સુરતમાંથી ફરીવાર…

હાલમાં આપણે જાણીએ છીએ કે આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુંકાવે છે. આ દરમિયાન સુરતમાંથી ફરીવાર એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક યુવકે ઝાડ પર દોરડું બાંધીને ગળાફાંસો ખાધો હતો.

સુરત શહેરના વરિયાવ ગોકુળ ફાર્મ નજીક ઝાડ ઉપર દોરડું બાંધી સારોલીના યુવાને ગળે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરનાર યુવક કેતન પટેલે ઓફિસથી પત્નીને ફોન કર્યો અને કહ્યું કે, હું ઘરે આવવાનો નથી, આપઘાત કરવાનો છું. આ બાદ પરિવાર તેની શોધમાં હતો.

સુરત શહેરના સારોલી વિસ્તારમાં કેતન કનુભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. પરિવારમાં ખેડૂત પિતા અને તેનો એક 3 વર્ષનો દીકરો છે. કેતન ઘરેથી નીકળ્યા બાદ ઇચ્છાપોર ઓફીસે જઈ પત્નીને ફોન પર કહ્યું હતું કે, હું ઘરે નથી આવવાનો, આપઘાત કરી લેવાનો છું. આ વાતથી પરિવાર ગઈ કાલે બપોરથી કેતનને શોધી રહ્યું હતું.

આજે સવારે વરિયાવ ફાર્મના મજૂરોને લટકતી લાશ પણ નજર પડી હતી. જેથી જહાંગીરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. કેતનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જોકે, હાલ આપઘાતનું કારણ શોધી શકાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *