લાખ પ્રયાસો બાદ પણ લગ્ન ન થતા યુવકે માની મોગલ માં ની માનતા અને માતાજી એ બતાવ્યો એવો પરચો કે…

મોગલ માં ના સાક્ષાત પરચાઓ વિશે બધા જાણે જ છે. માતાને યાદ કરવા માત્રથી તેઓ ભકતોના તમામ દુઃખો દુર કરે છે. મોગલ માં તેમના છોરુંને તેના દરવાજે થી ક્યારેય ખાલી હાથે પાછા કાઢતી નથી. અત્યાર સુધીમાં મોગલ માં એ લાખો ભકતોના દુઃખો દુર કર્યા છે.

કબરાઉ ધામમાં લાખો ભકતો માં મોગલ ના અને મણીધર બાપુના દર્શને જાય છે. માં મોગલે અત્યાર સુધી લાખો લોકોને સાક્ષાત પરચા પૂર્યા છે. હાલમાં જ માતાજીનો એક સાક્ષાત પરચો સામે આવ્યો છે. ગુજરાતનો એક યુવક કબરાઉ ધામમાં માતાજીના દર્શને અને માનતા ચઢાવવા ગયો, ત્યારે મણીધર બાપુએ પૂછ્યું, ‘બેટા, તારી કઈ માનતા પૂરી થઈ?’

જવાબ આપતાં યુવકે જણાવ્યું કે, ‘ બાપુ કેટલા સમયથી મારા લગ્ન થઈ રહ્યાં ન હતાં ત્યારે પણ વાત ચાલે અને છોકરી જોયાવું બધું જ નક્કી હોય ત્યાં કોઈને કોઈ અડચણ અથવા વિધવ આવે અને મારા લગ્ન અટકી જતાં હતાં. ઘણાં સમયથી આવી રીતે થતું હતું ત્યારબાદ મેં મોગલ માં ને માનતા રાખી કે માતા મારા લગ્ન થઈ જશે તો હું કબરાઉ ધામમાં આવીને 10 હજાર રૂપિયા ચડાવી જઈશ અને મારી માનતા પૂરી કરી જઈશ. ‘

ત્યારબાદ થોડા જ દિવસો પછી માતા એ પરચો પૂર્યો અને મારી સગાઇ થઈ અને પછી લગ્ન પણ કોઈ વિઘન અને તકલીફ વગર થઈ ગયાં તેથી આજે હું અહિયાં મારી માનતા ચઢાવવા અને માતાજી અને તમારા દર્શને આવ્યો છું. આથી મારી ઈચ્છા પુરી થતાં હું અહિયાં આવ્યો.

ત્યારબાદ મણીધર બાપુએ દસ હજાર લઈ માતાના ચરણોમાં પ્રસાદીના કરી યુવકને કહ્યું કે મોગલ માં તો ભાવની ભૂખી છે, આ પૈસા તું તારી બહેન અથવા ગરીબોને આપી દેજે. માતાએ તારી માનતા 151 ગણી સ્વીકારી લીધી છે અને મોગલ માં ના આશીર્વાદ તારા પર હંમેશા બનેલા રહેશે. આથી કબરાઉ ધામમાં માતા ના દર્શને લાખો લોકોની ભીડ ઉમટી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *