60 વર્ષો બાદ ધનતેરસના દિવસે બની રહ્યા છે આ દુર્લભ સંયોગ: આ પાંચ રાશિના લોકો પર થશે ધનવર્ષા

Dhanteras Horoscope: પંચાંગ અનુસાર 29 ઓક્ટોબર 2024 ના દિવસે ધનતેરસ આવી રહી છે. મંગળવારના રોજ ધનતેરસ આવે છે તેને ખૂબ શુભ માનવામાં આવે છે. આ સિવાય ઘણા વર્ષો બાદ ધનતેરસના દિવસે શુભ સંયોગ બની રહ્યા છે. જે લોકોનું ભાગ્ય ઉઘાડી દેશે. જ્યોતિષોના (Dhanteras Horoscope) માનવા અનુસાર ધનતેરસના દિવસે શુક્ર કન્યા રાશિમાં, ગુરુ મેષ રાશિમાં અને સૂર્ય તુલા રાશિમાં સ્થાપિત રહેશે. આ સિવાય શનિ મૂળ ત્રિકોણ રાશિમાં રહીને શશા રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. ધનતેરસના દિવસે ગ્રહોના આ દુર્લભ યોગ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 60 વર્ષ બાદ ધનતેરસના દિવસે ગ્રહોના આ દુર્લભ સંયુગથી પાંચ રાશિના જાતકોને ખૂબ ફાયદો થશે.

ધનતેરસના દિવસે આ રાશિ વાળા વ્યક્તિઓને કિસ્મત ચમકશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે આ વખતની ધનતેરસ ખૂબ મોટી ભેટ લઈને આવી રહી છે. આ લોકોના કરિયરમાં સારા દિવસો આવશે. આ લોકોએ કરેલું રોકાણ ખૂબ સારું એવું વળતર આપશે અને લાંબા સમય સુધી ટકી રહેશે. તમારા ખર્ચાઓ ઓછા થશે અને ધનની પ્રાપ્તિ થશે. તમારી આર્થિક પરિસ્થિતિ સુધરી જશે.

મિથુન
મિથુન રાશિના લોકો માટે ધનતેરસનો તહેવાર તમારી આવકમાં વધારો કરાવવાનો છે. ધનલાભના યોગ બની રહ્યા છે. જે લોકો સરકારી નોકરી માટે ઘણા લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યા હતા તેઓને સફળતા પ્રાપ્ત થશે.

સિંહ
સિંહ રાશીના જાતકો માટે પણ ધન તેરસ ખૂબ સારી ફળવાની છે. તમને વર્ષો જૂની સમસ્યાઓ માંથી રાહત મળશે. તમારું કરિયર પીક ઉપર હશે.

મકર
આ રાશિના જાતકો માટે ધનતેરસ એ ખુશીઓનો અવસર લાવી રહી છે. જુના ઝઘડાઓ બંધ થશે. દુઃખ દૂર થશે. લોનમાંથી છુટકારો મળશે સાથે સાથે વેપારમાં પણ ઉન્નતિ થશે.

કુંભ
કુંભ રાશી ના જાતકો માટે ધનતેરસના દિવસે ખૂબ મોટી આવક થવાની સંભાવના રહેલી છે. વેપારી વર્ગના લોકો માટે ખૂબ મોટો લાભ થશે. તમારી વર્ષો જૂની બીમારી દૂર થશે.