ભયંકર માર્ગ અકસ્માતઃ બસ પલટી જતાં 8 લોકોના કરુણ મોત, 20થી વધુ ગંભીર રીતે ઘાયલ

કર્ણાટક(Karnataka): અવાર-નવાર અકસ્માતના(Accident) કેસો આવતા જ રહે છે અને આ અકસ્માત દરમિયાન કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. ત્યારે હાલમાં જ કર્ણાટકમાં(Karnataka) એક મોટી દુર્ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં તુમકુર જિલ્લાના(Tumkur District) પાવાગડા(Pavagada) પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવવાને કારણે બસ(Bus) પલટી ગઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

એક રીપોર્ટ અનુસાર, આ અકસ્માત દરમિયાન 8 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આ ઘટના અંગે તુમકુર પોલીસે પુષ્ટી કરી છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.

પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો. આ બસમાં 60 જેટલા મુસાફરો સવાર હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ મુસાફરોમાંથી 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમજ 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે. મૃતકોમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *